કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જન કલ્યાણ શિબિર યોજાઇ
Publish Date : 17/06/2026
મનપાના NULM – UCD વિભાગની અનોખી પહેલ, પીએમ સ્વનિધિ અને આયુષ્યમાન કાર્ડના વિતરણથી સેંકડો પરિવારો લાભાન્વિત
આત્મનિર્ભરતા તરફ કદમ: કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૫ થી ૫૦ હજાર સુધીની લોન સહાયના ચેકોનું મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિતરણ
આણંદ, મંગળવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના NULM – UCD વિભાગ દ્વારા છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવાના ઉમદા હેતુ સાથે ‘જન કલ્યાણ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરના માધ્યમથી શહેરના અનેક જરૂરિયાતમંદ પરિવારોને સરકારની લોકાભિમુખ યોજનાઓ સાથે જોડીને તેમને આર્થિક અને સામાજિક સુરક્ષા પ્રદાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયરશ્રી દીપિકાબેન પટેલ, ડેપ્યુટી મેયરશ્રી કમલેશભાઈ ડાભી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી મયુરભાઈ સુથાર, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે. ગરવાલ અને શ્રી સંગાડા સહિત કોર્પોરેટરશ્રીઓએ પણ આ શિબિરમાં હાજરી આપીને લાભાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ તકે મહાનુભાવોના હસ્તે પીએમ સ્વનિધિ યોજના હેઠળના લાભાર્થીઓને સીધી આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હતી. આ યોજના અંતર્ગત નાના વેપારીઓ અને ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવા માટે રૂપિયા ૧૫ હજારથી લઈને ૫૦ હજાર સુધીની રકમના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આર્થિક સહાયની સાથે-સાથે નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે પીએમ આયુષ્યમાન કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ જન કલ્યાણ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતાને સીધો લાભ આપી તેમના જીવનધોરણમાં સુધારો લાવવાનો હતો. NULM – UCD વિભાગની આ કામગીરીને કારણે અનેક પરિવારોને એક જ સ્થળેથી મહત્વની યોજનાઓના લાભો પ્રાપ્ત થયા હતા.
આ જન કલ્યાણ શિબિરમાં મોટી સંખ્યામાં ફેરિયાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જન કલ્યાણ શિબિર યોજાઇ

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જન કલ્યાણ શિબિર યોજાઇ

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જન કલ્યાણ શિબિર યોજાઇ

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જન કલ્યાણ શિબિર યોજાઇ