બંધ

જીલ્લા વિષે

આણંદ જિલ્લો જેનું નામ “શ્વેતક્રાંતિ” અને મોટા પાયે થયેલા સહકારી ક્ષેત્રના વિકાસના કારણે અર્વાચીન ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલ છે તે મૂળત: બૃહદ ખેડા જિલ્લાનો એક ભાગ હતો. ૧૯૯૭ માં આણંદ એક સ્વતંત્ર જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. આ રીતે આણંદ જિલ્લાનો ઈતિહાસ કાંઈ બહુ જુનો નથી. પણ ચરોતર (વાયકા પ્રમાણે ખેડા જિલ્લાનું બીજું પ્રચલિત નામ) ના એક ભાગ રૂપે આણંદ પાસે એક સમૃદ્ઘ વારસો છે. આણંદને તેની સમૃદ્વ અને ઉપજાઉ ભૂમિને કારણે “ચરોતર” તરીકે ઓળખવામાં આવે છે.

ભારતીય સ્વતંત્ર ચળવળમાં ભારતના મહાન નેતાઓમાંના એક સરદાર વલ્લભભાઈ પટેલ આણંદ જિલ્લાના કરમસદમાં ઉછર્યા હતા. તે તેમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલનું ઘર પણ હતું, જેઓ એક મહત્વપૂર્ણ રાજકીય નેતા પણ હતા. પટેલ બ્રધર્સ તેમના બે મોટા ભાઈઓ અને એક નાના ભાઈ અને બહેન અને માતા-પિતા જવેરભાઈ અને લાડબા પટેલ સાથે તેમના પરિવારના ખેતરની બાજુમાં માટીના ઈંટના મકાનમાં રહેતા હતા. આ ઘર આજ સુધી સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક તરીકે સાચવેલ છે.

વધુ વાંચો …

તાજેતરના સમાચાર

  • આણંદ જિલ્લામાં વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર સજ્જ

    આણંદ જિલ્લામાં અને કરમસદ-આણંદ કોર્પોરેશન વિસ્તારમાં કુલ ૮૯૨ જેટલી ટીમો દ્વારા પાણીજન્ય અને વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે સઘન કામગીરી શરૂ ​આણંદ, સોમવારઆણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ હવે વરસાદે વિરામ લીધો છે, ત્યારે રોગચાળો ન ફેલાય તે હેતુથી જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય […]

  • આણંદ જિલ્લામાં વરસાદ બાદ ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

    માર્ગ અને મકાન વિભાગની ૦૮ ટીમો તૈનાત: નાગરિકોની સુવિધા માટે રાત-દિવસ રોડ રીપેરીંગનું કામ પૂરજોશમાં આણંદ, સોમવાર, આણંદ જિલ્લામાં ગત દિવસો દરમિયાન વરસેલા અવિરત વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના પ્રવાહને કારણે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા હતા. હાલમાં વરસાદે વિરામ લેતાની સાથે જ જનજીવનને પૂર્વવત કરવા અને વાહનવ્યવહારને સુગમ બનાવવા માટે માર્ગ અને […]

  • ચોમાસાની ઋતુમાં ડેન્ગ્યુના રોગથી બચવા માટેના અસરકારક ઉપાયો

    આણંદ, સોમવાર, વરસાદની મોસમ શરૂ થતાંની સાથે જ વાતાવરણમાં ભેજ જોવા મળે છે અને ઠેર-ઠેર ભરાતા વરસાદી પાણીના કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાવાનો ભય પણ વધી જાય છે, જેમાં ખાસ કરીને આ સમયગાળા દરમિયાન ડેન્ગ્યુના કેસોમાં ઝડપી વધારો જોવા મળે છે. આ મચ્છરો સામાન્ય રીતે ઘરની આસપાસ એકત્ર થયેલા ચોખ્ખા અને બંધિયાર પાણીમાં પોતાના ઈંડા મૂકે […]

  • આણંદ જિલ્લામાં વરસાદી પાણી ઓસરતા જનજીવન પૂર્વવત્: 07 માર્ગો વાહન વ્યવહાર માટે ખુલ્લા કરાયા

    જિલ્લામાં હવે માત્ર 03  રસ્તાઓ બંધ નાગરિકોને નિર્ધારિત ડાયવર્ઝનનો ઉપયોગ કરવા અનુરોધ આણંદ, સોમવાર, આણંદ જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવતા વરસાદી પાણીના પ્રવાહમાં સતત વધારો થવાને કારણે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં માર્ગ વ્યવહાર પર અસર પહોંચી હતી. પંચાયત અને સ્ટેટ વિભાગ હસ્તકના કુલ 10 રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે ગત દિવસોમાં વાહન […]

વધુ...
Praveen Chaudhari

કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ

શ્રી પ્રવીણ ચૌધરી, (આઈ.એ.એસ.)