બંધ

જીલ્લા વિષે

આણંદ જિલ્લો જેનું નામ “શ્વેતક્રાંતિ” અને મોટા પાયે થયેલા સહકારી ક્ષેત્રના વિકાસના કારણે અર્વાચીન ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલ છે તે મૂળત: બૃહદ ખેડા જિલ્લાનો એક ભાગ હતો. ૧૯૯૭ માં આણંદ એક સ્વતંત્ર જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. આ રીતે આણંદ જિલ્લાનો ઈતિહાસ કાંઈ બહુ જુનો નથી. પણ ચરોતર (વાયકા પ્રમાણે ખેડા જિલ્લાનું બીજું પ્રચલિત નામ) ના એક ભાગ રૂપે આણંદ પાસે એક સમૃદ્ઘ વારસો છે. આણંદને તેની સમૃદ્વ અને ઉપજાઉ ભૂમિને કારણે “ચરોતર” તરીકે ઓળખવામાં આવે છે.

ભારતીય સ્વતંત્ર ચળવળમાં ભારતના મહાન નેતાઓમાંના એક સરદાર વલ્લભભાઈ પટેલ આણંદ જિલ્લાના કરમસદમાં ઉછર્યા હતા. તે તેમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલનું ઘર પણ હતું, જેઓ એક મહત્વપૂર્ણ રાજકીય નેતા પણ હતા. પટેલ બ્રધર્સ તેમના બે મોટા ભાઈઓ અને એક નાના ભાઈ અને બહેન અને માતા-પિતા જવેરભાઈ અને લાડબા પટેલ સાથે તેમના પરિવારના ખેતરની બાજુમાં માટીના ઈંટના મકાનમાં રહેતા હતા. આ ઘર આજ સુધી સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક તરીકે સાચવેલ છે.

વધુ વાંચો …

તાજેતરના સમાચાર

  • તારીખ 7 ફેબ્રુઆરીના રોજ આણંદમાં ‘કોસમોસ વેલી’ ફલાવર શો નગરજનો માટે ખુલ્લો મુકાશે

    પુષ્પ પ્રદર્શનને નિહાળવા શહેરીજનોને ભાવભર્યું નિમંત્રણ આણંદ, ગુરૂવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ શહેરના નાગરિકો માટે બોરસદ ચોકડી આણંદ ખાતે ઓવરબ્રિજની નીચે ‘કોસમોસ વેલી’ (ફલાવર શો) નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેનું ટૂંક સમયમાં જ જાહેર જનતા માટે લોકાર્પણ કરવામાં આવશે. આ કોસ્મોસ વેલીને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ […]

  • પાંચ વર્ષ સુધીના NRI/વિદેશી બાળકો માટે આધાર નોંધણી અંગેની માર્ગદર્શિકા જાહેર

    પાંચ વર્ષ સુધીની વ્યક્તિના આધાર નોંધણી માટે ઓળખ, સરનામું, સંબંધ અથવા જન્મતારીખના પુરાવા માટે રજૂ કરી શકાય તેવા દસ્તાવેજોની યાદી ગુરૂવાર, આણંદ: આણંદના નોડલ અધિકારી (યુઆઈડી) અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા એક યાદીમાં ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડ ધારક, નેપાળ અને ભૂટાનના નાગરિકો અને અન્ય આધાર નોંધણી કરવા માંગતા વિદેશી નાગરિકો માટે કેટલાક નિયમો […]

  • પ્રાકૃતિક ખેત પદ્ધતિમાં ખેત ઉત્પાદન અને ખેડૂતની આવક વધારતા રસાયણમુક્ત જંતુનાશક શસ્ત્રો

    વૃક્ષના થડમાં, સિંગોમાં અને ફળોમાં રહેતી નાની મોટી ઈયળોના નિયંત્રણમાં ઉપયોગી જંતુનાશક શસ્ત્ર – ‘અગ્નિઅસ્ત્ર’ આણંદ, ગુરૂવાર: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કર્યું છે. ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી એ પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધારવા માટે રાજ્યભરમાં મુહિમ શરૂ કરી છે. રાસાયણિક ખેતી માત્ર જમીનને જ નહી પરંતુ માનવ સ્વાસ્થ્યને પણ નુકસાન કરી […]

  • આણંદ જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીનો આણંદ તાલુકાના ગાના ગામે ‘‘ગ્રામ સંવાદ’’ યોજાયો

    ‘પ્રશાસન ગામની તરફ’ અભિગમ હેઠળ યોજાયેલ ગ્રામ સંવાદ કાર્યક્રમમાં ગ્રામજનોના પ્રશ્નોના હકારાત્મક નિવારણ માટે જિલ્લા કલેકટરશ્રીએ આપી સૂચના ગામમાં ગેરકાયદેસર દબાણ હોય તો નિયમ અનુસાર કાર્યવાહી કરી દબાણો દૂર કરવા-કલેકટર શ્રી સરકારની વિવિધ યોજનાઓના લાભ મેળવવા અનુરોધ આણંદ, બુધવાર: રાજ્ય સરકારના ‘લોકાભિમુખ વહીવટ’ અને ‘પ્રશાસન ગામની તરફ’ના ઉમદા ધ્યેયને સાકાર કરવાના ભાગરૂપે આણંદ જિલ્લા કલેક્ટરશ્રી […]

વધુ...
Praveen Chaudhari
કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પ્રવીણ ચૌધરી, (આઈ.એ.એસ.)