બંધ

જીલ્લા વિષે

આણંદ જિલ્લો જેનું નામ “શ્વેતક્રાંતિ” અને મોટા પાયે થયેલા સહકારી ક્ષેત્રના વિકાસના કારણે અર્વાચીન ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલ છે તે મૂળત: બૃહદ ખેડા જિલ્લાનો એક ભાગ હતો. ૧૯૯૭ માં આણંદ એક સ્વતંત્ર જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. આ રીતે આણંદ જિલ્લાનો ઈતિહાસ કાંઈ બહુ જુનો નથી. પણ ચરોતર (વાયકા પ્રમાણે ખેડા જિલ્લાનું બીજું પ્રચલિત નામ) ના એક ભાગ રૂપે આણંદ પાસે એક સમૃદ્ઘ વારસો છે. આણંદને તેની સમૃદ્વ અને ઉપજાઉ ભૂમિને કારણે “ચરોતર” તરીકે ઓળખવામાં આવે છે.

ભારતીય સ્વતંત્ર ચળવળમાં ભારતના મહાન નેતાઓમાંના એક સરદાર વલ્લભભાઈ પટેલ આણંદ જિલ્લાના કરમસદમાં ઉછર્યા હતા. તે તેમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલનું ઘર પણ હતું, જેઓ એક મહત્વપૂર્ણ રાજકીય નેતા પણ હતા. પટેલ બ્રધર્સ તેમના બે મોટા ભાઈઓ અને એક નાના ભાઈ અને બહેન અને માતા-પિતા જવેરભાઈ અને લાડબા પટેલ સાથે તેમના પરિવારના ખેતરની બાજુમાં માટીના ઈંટના મકાનમાં રહેતા હતા. આ ઘર આજ સુધી સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક તરીકે સાચવેલ છે.

વધુ વાંચો …

તાજેતરના સમાચાર

  • આણંદ જિલ્લામાં ખેડૂતોના કલ્યાણ અર્થે સતત પ્રયાસરત ‘આત્મા’ પ્રોજેક્ટ

    ખેડૂતોને વૈજ્ઞાનિક ખેત પદ્ધતિઓથી અવગત કરવા વર્ષ દરમિયાન ૧૧૫૦ ખેડૂતોને તાલીમ આપવામાં આવી કુલ ૧૮૬૫ ખેડૂતોને રૂપિયા ૬.૬૪ લાખ ના ખર્ચે કરાવાયો પ્રેરણા પ્રવાસ આત્મા પ્રોજેક્ટ દ્વારા તાલીમ, કૃષિ નિદર્શન અને પ્રેરણા પ્રવાસના  નિયમિત આયોજનથી જિલ્લાના હજારો ખેડૂતો થયા લાભાન્વિત આણંદ, મંગળવાર , આણંદ જિલ્લામાં ખેતીવાડી અને સંલગ્ન ક્ષેત્રોના આધુનિકીકરણ તેમજ ખેડૂતોની આવક બમણી કરવાના […]

  • તારાપુરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ)ખાતે પ્રવેશસત્ર-૨૦૨૬ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

    ઇચ્છુક વિદ્યાર્થીઓ તારીખ ૨૩ જૂન સુધીમાં પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે આણંદ, સોમવાર , તારાપુરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ), તારાપુર દ્વારા વર્ષ-૨૦૨૬ માટે વિવિધ ટેકનિકલ ટ્રેડમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું સંસ્થાના સંચાલક મંડળ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.      ટેકનિકલ શિક્ષણ દ્વારા યુવાનોને રોજગારલક્ષી તાલીમ પૂરી પાડવાના હેતુસર સંસ્થા દ્વારા અનેક વ્યવસાયલક્ષી કોર્સ […]

  • ખંભાતના શકરપુર ગામે અકીક ઉદ્યોગના શ્રમયોગીઓ માટે “સિલિકોસિસ યોજના” અંતર્ગત જનજાગૃતિ સેમિનાર અને નિ:શુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો

    આણંદ, સોમવાર , શ્રમ તંત્ર દ્વારા ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ગાંધીનગર સંચાલિત સિલિકોસિસ યોજના અંગે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના શકરપુર ગામ ખાતે “સિલિકોસિસ પીડિતો અને મૃત્યુના કિસ્સામાં વારસદારો માટે ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજના” અંતર્ગત ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના સભ્ય સચિવશ્રી તથા અધિક શ્રમ આયુક્તશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં શ્રમ આયુક્ત તંત્ર, આરોગ્ય વિભાગ […]

  • રાષ્ટ્રીય વસ્તી ગણતરી – ૨૦૨૭

    દેશની પ્રથમ ડિજિટલ ‘સ્વ-ગણતરી’ પ્રક્રિયા અન્વયે આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૬,૬૩૬ પરિવારોએ ડિજિટલ પોર્ટલ પર નોંધણી કરાવી જિલ્લાવાસીઓને તારીખ ૩૧ મે સુધીમાં સ્વ ગણતરી પોર્ટલ દ્વારા જાતે વિગતો ભરવા વહીવટી તંત્રની અપીલ આણંદ, સોમવાર , મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રીય સ્તરે અત્યંત મહત્વપૂર્ણ એવી ‘જનગણના ૨૦૨૭’ અંતર્ગત શરૂ કરાયેલી ‘સ્વ-ગણતરી’ (Self Enumeration) પ્રક્રિયાનો રાજ્ય […]

વધુ...
Praveen Chaudhari

કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ

શ્રી પ્રવીણ ચૌધરી, (આઈ.એ.એસ.)