જીલ્લા વિષે
આણંદ જિલ્લો જેનું નામ “શ્વેતક્રાંતિ” અને મોટા પાયે થયેલા સહકારી ક્ષેત્રના વિકાસના કારણે અર્વાચીન ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલ છે તે મૂળત: બૃહદ ખેડા જિલ્લાનો એક ભાગ હતો. ૧૯૯૭ માં આણંદ એક સ્વતંત્ર જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. આ રીતે આણંદ જિલ્લાનો ઈતિહાસ કાંઈ બહુ જુનો નથી. પણ ચરોતર (વાયકા પ્રમાણે ખેડા જિલ્લાનું બીજું પ્રચલિત નામ) ના એક ભાગ રૂપે આણંદ પાસે એક સમૃદ્ઘ વારસો છે. આણંદને તેની સમૃદ્વ અને ઉપજાઉ ભૂમિને કારણે “ચરોતર” તરીકે ઓળખવામાં આવે છે.
ભારતીય સ્વતંત્ર ચળવળમાં ભારતના મહાન નેતાઓમાંના એક સરદાર વલ્લભભાઈ પટેલ આણંદ જિલ્લાના કરમસદમાં ઉછર્યા હતા. તે તેમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલનું ઘર પણ હતું, જેઓ એક મહત્વપૂર્ણ રાજકીય નેતા પણ હતા. પટેલ બ્રધર્સ તેમના બે મોટા ભાઈઓ અને એક નાના ભાઈ અને બહેન અને માતા-પિતા જવેરભાઈ અને લાડબા પટેલ સાથે તેમના પરિવારના ખેતરની બાજુમાં માટીના ઈંટના મકાનમાં રહેતા હતા. આ ઘર આજ સુધી સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક તરીકે સાચવેલ છે.
તાજેતરના સમાચાર
-
વિશ્વ યોગ દિવસ: એક પૃથ્વી-એક સ્વાસ્થ્ય માટે યોગ’
જિલ્લાના નાગરિકો યોગને રોજિંદા જીવનમાં અપનાવે: જિલ્લા કલેકટરશ્રી. વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિતે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ યોજી પત્રકાર પરિષદ. વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે. આણંદ જિલ્લામાં તાલુકા, ગ્રામ્ય, નગરપાલિકા સહિતના સ્થળો પર યોગ દિવસની ઉજવણી કરાશે. આણંદ,ગુરુવાર: પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી […]
-
આણંદ જિલ્લાના નાગરિકો માટે આપતકાલીન સમયમાં જિલ્લાના કંટ્રોલરૂમ હેલ્પલાઇન નંબર જાહેર કરાયા
જિલ્લાના નાગરિકોને આપત્તિ વેળાએ જિલ્લા કન્ટ્રોલ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા અનુરોધ કરતાં જિલ્લા કલેકટરશ્રી. આણંદ,ગુરુવાર: સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આણંદ જિલ્લામાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આણંદ જિલ્લાના નાગરિકોને આપત્તિ વેળાએ જિલ્લા કન્ટ્રોલ હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરવા માટે અનુરોધ કર્યો છે. આણંદ જિલ્લાના કંટ્રોલરૂમ હેલ્પલાઇન નંબર આણંદના નાગરિકો અવશ્ય હાથવગું રાખે, […]
-
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના
વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ તાલુકાના ૫ મૃતકોના અંતિમ સંસ્કારમાં સહભાગી બનતા સાંસદશ્રી સહિત અગ્રણી પદાધિકારીઓ. જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી સહિત નિયુક્ત અધિકારીઓ પણ રહ્યા ખડે પગે. આણંદ,ગુરુવાર: અમદાવાદ ખાતે ગત દિવસોમાં થયેલી વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના પાર્થિવ દેહની ઓળખ થતા તેમનો મૃતદેહ અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર તરફથી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. ડીએનએ સેમ્પલિંગ […]
-
“Extended રાજય PNG/LPG” સહાય યોજના હેઠળ એપ્રિલ -૨૫ થી જુન – ૨૫ ના પ્રથમ કવાર્ટટર અંતર્ગત જિલ્લાના લાભાર્થીઓ ફ્રી રીફિલીંગનો લાભ તા.૩૦ જૂન સુધી મેળવી શકશે
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત તા.૩૧ માર્ચ ૨૦૨૫ સુધી ઇન્સ્ટોલેેેશન થયેલ હોય તેવા લાભાર્થીઓ પણ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. આણંદ,ગુરૂવાર: “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના“ ના તમામ તબક્કાના લાભાર્થીઓ તથા રાજ્ય સરકારની પીએનજી / એલપીજી સહાય યોજનાના લાભાર્થીઓ મળી રાજ્યના કુલ ૪૩.૩૦ લાખ લાભાર્થીઓને ચાલુ નાણાકીય વર્ષમાં ઘરગથ્થુ વપરાશ માટે વિનામુલ્યે વર્ષ માં બે (૨) વખત ગેસ સીલીન્ડર […]

જાહેર ઉપયોગીતાઓ
ઝડપી સંપર્ક
-
સીએમ રિલીફ ફંડમાં ઓનલાઈન દાન
-
iORA દ્વારા અરજી કરો
-
આણંદ જિલ્લા પંચાયત
-
આણંદ પોલીસ
-
આણંદ નગરપાલિકા
-
જાહેર વિતરણ વ્યવસ્થા
-
જાહેર ફરિયાદ
-
રાજ્ય પોર્ટલ
-
સરકારી ઓર્ડર
-
વસ્તી ગણતરી
-
કૃષિ યોજનાના લાભો
-
જમીન રેકર્ડસ
-
મહેસુલ વિભાગ ગુજરાત
-
ગુજરાતના માનનીય રાજ્યપાલ
-
ગરવી - જંત્રી, ઈન્ડેક્સ-૨
-
મુખ્ય ચૂંટણી અધિકારી ગુજરાત
-
ભારતનું ચૂંટણી પંચ
-
મુખ્ય મંત્રીની ઓનલાઇન ફરિયાદ નિવારણ સિસ્ટમ (સ્વાગત)
-
ગુજરાત ચૂંટણી 2022
18002331014 -
પોલીસ..../....ફાયર
100, 101 -
એમ્બ્યુલન્સ -
108 -
નાગરિક કોલ સેન્ટર -
155300 -
બાળ હેલ્પલાઇન -
1098 -
મહિલા હેલ્પલાઇન -
1091 -
ક્રાઇમ સ્ટોપર -
1090