જીલ્લા વિષે
આણંદ જિલ્લો જેનું નામ “શ્વેતક્રાંતિ” અને મોટા પાયે થયેલા સહકારી ક્ષેત્રના વિકાસના કારણે અર્વાચીન ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલ છે તે મૂળત: બૃહદ ખેડા જિલ્લાનો એક ભાગ હતો. ૧૯૯૭ માં આણંદ એક સ્વતંત્ર જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. આ રીતે આણંદ જિલ્લાનો ઈતિહાસ કાંઈ બહુ જુનો નથી. પણ ચરોતર (વાયકા પ્રમાણે ખેડા જિલ્લાનું બીજું પ્રચલિત નામ) ના એક ભાગ રૂપે આણંદ પાસે એક સમૃદ્ઘ વારસો છે. આણંદને તેની સમૃદ્વ અને ઉપજાઉ ભૂમિને કારણે “ચરોતર” તરીકે ઓળખવામાં આવે છે.
ભારતીય સ્વતંત્ર ચળવળમાં ભારતના મહાન નેતાઓમાંના એક સરદાર વલ્લભભાઈ પટેલ આણંદ જિલ્લાના કરમસદમાં ઉછર્યા હતા. તે તેમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલનું ઘર પણ હતું, જેઓ એક મહત્વપૂર્ણ રાજકીય નેતા પણ હતા. પટેલ બ્રધર્સ તેમના બે મોટા ભાઈઓ અને એક નાના ભાઈ અને બહેન અને માતા-પિતા જવેરભાઈ અને લાડબા પટેલ સાથે તેમના પરિવારના ખેતરની બાજુમાં માટીના ઈંટના મકાનમાં રહેતા હતા. આ ઘર આજ સુધી સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક તરીકે સાચવેલ છે.
તાજેતરના સમાચાર
-
આણંદ શહેરી વિસ્તારમાં SIR ની કામગીરી માટે રાત્રી કેમ્પનું આયોજન
તા.૧૪ નવેમ્બરના રોજ આણંદ શહેરની વિવિધ ૧૯ શાળાઓ/ સંસ્થાઓ ખાતે રાત્રિ કેમ્પ યોજાશે આણંદ, ગુરૂવાર : આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) નો પ્રારંભ કરવામાં આવ્યો છે. તા. ૪ ડિસેમ્બર સુધી આણંદ જિલ્લામાં બુથ લેવલ ઓફિસર દ્વારા ડોર ટુ ડોર મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ […]
-
તા.૧૪ નવેમ્બરના રોજ ધર્મજ ખાતે એમજીવીસીએલની પેટા વિભાગીય કચેરી શરૂ કરાશે
આણંદ, ગુરૂવાર: મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ધર્મજ ગામ ખાતે પેટા વિભાગીય કચેરી શરૂ કરવામાં આવનાર છે. આ કચેરી નું ઉદઘાટન આજે તારીખ 14 મી નવેમ્બર શુક્રવારના રોજ સવારે 9:30 કલાકે અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવશે. ધર્મજ ખાતે એમજીવીસીએલની પેટા વિભાગીય કચેરી ખાતે નાયબ કાર્યપાલક ઇજનેર સહિત 45 લોકોનો […]
-
તા.૧૪ નવેમ્બરના રોજ આણંદ ખાતે “આપકી પુંજી આપકા અધિકાર” કાર્યક્રમ યોજાશે
જિલ્લાની વિવિધ બેંકોમાં દાવો ન કરાયેલ રૂપિયા ૧૨૯ કરોડથી વધુ રકમ થાપણદારો પાછી મેળવી શકશે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ગુજરાતના રિજનલ ડાયરેક્ટર શ્રી અમરેશ રંજન ખાસ તો ઉપસ્થિત રહેશે આણંદ, ગુરૂવાર: ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા બેંકમાં કોઈપણ પ્રકારના ક્લેમ થયા વગરની જે રકમ છેલ્લા દસ વર્ષ કરતા વધુ સમયથી પડી રહી છે તે રકમ […]
-
આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જાતિના લોકોને ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ રૂપિયા ૧.૭૦ લાખની સહાય મળશે
આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવા અનુરોધ આણંદ, ગુરૂવાર: રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના લોકોને ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ આવાસ પૂરા પાડવામાં આવે છે. આણંદ જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોને વર્ષ 2025 – 26 દરમિયાન આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવા જણાવવામાં આવ્યું છે. અનુસૂચિત જાતિના નબળી આર્થિક […]
જાહેર ઉપયોગીતાઓ
ઝડપી સંપર્ક
-
સીએમ રિલીફ ફંડમાં ઓનલાઈન દાન
-
iORA દ્વારા અરજી કરો
-
આણંદ જિલ્લા પંચાયત
-
આણંદ પોલીસ
-
આણંદ નગરપાલિકા
-
જાહેર વિતરણ વ્યવસ્થા
-
જાહેર ફરિયાદ
-
રાજ્ય પોર્ટલ
-
સરકારી ઓર્ડર
-
વસ્તી ગણતરી
-
કૃષિ યોજનાના લાભો
-
જમીન રેકર્ડસ
-
મહેસુલ વિભાગ ગુજરાત
-
ગુજરાતના માનનીય રાજ્યપાલ
-
ગરવી - જંત્રી, ઈન્ડેક્સ-૨
-
મુખ્ય ચૂંટણી અધિકારી ગુજરાત
-
ભારતનું ચૂંટણી પંચ
-
મુખ્ય મંત્રીની ઓનલાઇન ફરિયાદ નિવારણ સિસ્ટમ (સ્વાગત)
-
ગુજરાત ચૂંટણી 2022
18002331014 -
પોલીસ..../....ફાયર
100, 101 -
એમ્બ્યુલન્સ -
108 -
નાગરિક કોલ સેન્ટર -
155300 -
બાળ હેલ્પલાઇન -
1098 -
મહિલા હેલ્પલાઇન -
1091 -
ક્રાઇમ સ્ટોપર -
1090