બંધ

જીલ્લા વિષે

આણંદ જિલ્લો જેનું નામ “શ્વેતક્રાંતિ” અને મોટા પાયે થયેલા સહકારી ક્ષેત્રના વિકાસના કારણે અર્વાચીન ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલ છે તે મૂળત: બૃહદ ખેડા જિલ્લાનો એક ભાગ હતો. ૧૯૯૭ માં આણંદ એક સ્વતંત્ર જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. આ રીતે આણંદ જિલ્લાનો ઈતિહાસ કાંઈ બહુ જુનો નથી. પણ ચરોતર (વાયકા પ્રમાણે ખેડા જિલ્લાનું બીજું પ્રચલિત નામ) ના એક ભાગ રૂપે આણંદ પાસે એક સમૃદ્ઘ વારસો છે. આણંદને તેની સમૃદ્વ અને ઉપજાઉ ભૂમિને કારણે “ચરોતર” તરીકે ઓળખવામાં આવે છે.

ભારતીય સ્વતંત્ર ચળવળમાં ભારતના મહાન નેતાઓમાંના એક સરદાર વલ્લભભાઈ પટેલ આણંદ જિલ્લાના કરમસદમાં ઉછર્યા હતા. તે તેમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલનું ઘર પણ હતું, જેઓ એક મહત્વપૂર્ણ રાજકીય નેતા પણ હતા. પટેલ બ્રધર્સ તેમના બે મોટા ભાઈઓ અને એક નાના ભાઈ અને બહેન અને માતા-પિતા જવેરભાઈ અને લાડબા પટેલ સાથે તેમના પરિવારના ખેતરની બાજુમાં માટીના ઈંટના મકાનમાં રહેતા હતા. આ ઘર આજ સુધી સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક તરીકે સાચવેલ છે.

વધુ વાંચો …

તાજેતરના સમાચાર

  • ધોરણ-૧૦ (SSC) માર્ચ-૨૦૨૬ પરીક્ષાના પરિણામ બાદ ગુણ ચકાસણીની પ્રક્રિયા

    SSC પરિણામ: ગુણ ચકાસણી માટે પરીક્ષા વિભાગ દ્વારા સંપર્ક નંબર અને ઈ-મેલ જાહેર આણંદ બુધવાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૨૬ માં યોજાયેલ ધોરણ-૧૦ (SSC) ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ પોતાના પરિણામથી અસંતુષ્ટ હોય અને પોતાના ગુણની ફરીથી ચકાસણી (Rechecking) કરાવવા માંગતા હોય, તેવા ઉમેદવારો માટે બોર્ડ […]

  • આણંદ શિક્ષણ ક્ષેત્રે ઝળક્યું: ધોરણ-10 માં જિલ્લાના વિવિધ કેન્દ્રોનું શાનદાર પ્રદર્શન

    આણંદ જિલ્લાનું ધોરણ-10 SSC બોર્ડનું પરિણામ જાહેર; ચાંગા કેન્દ્ર જિલ્લામાં 96.92 ટકા સાથે પ્રથમ આણંદ બુધવાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2026 માં લેવાયેલ ધોરણ 10 SSC ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. આણંદ જિલ્લાએ આ વર્ષે પણ શિક્ષણ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ જાળવી રાખી છે.આ વર્ષના પરિણામમાં ચાંગા કેન્દ્ર […]

  • આણંદ  ખાતે તા.28 મે ના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

    અરજદારો તા. 10 મી મે સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે જે કચેરી નો પ્રશ્ન હોય ત્યાં પ્રથમ અરજી કરેલ હોવી જરૂરી આણંદ, બુધવાર , આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.28/05/2026 ને ગુરુવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે  કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી,આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ […]

  • આણંદ જિલ્લામાં તા.26 મે ના  રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

    અરજદારો તા.10 મે સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં મે મહિનાનો તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૬/૦૫/૨૦૨૬ ને મંગળવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે તેમજ આણંદ તાલુકા શહેર/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી, આણંદ ખાતે યોજાશે. આણંદ […]

વધુ...
Praveen Chaudhari

કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ

શ્રી પ્રવીણ ચૌધરી, (આઈ.એ.એસ.)