આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
Publish Date : 24/12/2025
કુલ ૦૫ પ્રશ્નોનો જિલ્લા કલેકટરશ્રી દ્વારા હકારાત્મક નિકાલ
આણંદ,બુધવાર: જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત આ જિલ્લા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોની ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાઈ છે.
જિલ્લા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારો દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો અંગે કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓ સાથે જરૂરી જાણકારી મેળવી અરજદાર સાથે વાત કર્યા બાદ કુલ ૦૫ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કર્યું હતું. જમીન સર્વેને લગતા પ્રશ્રો, સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ, દબાણ દૂર કરવાનાપ્રશ્નો, એસ ટી વિભાગ તથા વીજ પુરવઠા સંબંધિત પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી,નિવાસી અધિક કલેકટર શ્રી આર.એસ.દેસાઈ સહિત સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો