આણંદ જિલ્લામાં પાક નુકસાની સહાય મેળવવા વધુ 1000 ખેડૂતોઓ કરી અરજી
Publish Date : 03/12/2025
ખેડૂતો ૦૫ ડિસેમ્બર સુધી પાક નુકસાની અંગેની અરજી કરી શકશે
૩૫ હજાર ખેડૂતોની અરજીઓ કરાઈ મંજૂર
જિલ્લાના 13194 ખેડૂતોને રૂપિયા 27.12 કરોડની કરાઈ ઓનલાઈન ચુકવણી
આણંદ, બુધવાર: રાજ્યભરની સાથે આણંદ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાકમાં થયેલ નુકસાની માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જે અન્વયે ખેડૂતો નુકસાની સહાય મેળવવા માટે આગામી તારીખ ૦૫ મી ડિસેમ્બર સુધી અરજી કરી શકે છે.
કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઉભી છે. જે અંગે તાત્કાલીક સર્વે કરાવી ખેડૂતો માટે ૧૦,૦૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કરેલ છે, અને ખેડૂતોને હેકટર દીઠ રૂપિયા ૨૨,૦૦૦, વધુમાં વધુ બે હેકટર માટે રૂપિયા ૪૪,૦૦૦ સુધી સહાય આપવામાં આવનાર છે.
આણંદ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ચિંતન પટેલના જણાવ્યા મુજબ આજે વધુ 1000 ખેડૂતોએ સહાય મેળવવા અરજી કરી છે ત્યારે અત્યાર સુધીમાં કુલ 69,000 ખેડૂતોએ સહાય મેળવવા માટે અરજી કરી છે, તે પૈકી અરજીની જરૂરી ચકાસણી કરી આજ દિન સુધીમાં સુધી 35,000 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. મંજુર કરવામાં આવેલ અરજીઓ પૈકી 19194 ખેડૂતોને રૂપિયા 27.12 કરોડની ઓનલાઈન ચુકવણૂં પણ પૂર્ણ કરવામાં આવેલ છે. બાકી રહેલ અરજીઓની ચકાસણી કામગીરી પણ ઝડપભેર ચાલી રહી છે. જે ખેડૂતોને સહાય મળવાપાત્ર છે તેમને વહેલામાં વહેલી તકે સહાય ચૂકવવામાં આવી રહી છે.
શ્રી ચિંતન પટેલે વધુમાં જણાવ્યું કે ખેડૂતો પાક સહાય મેળવવા માટે ૦૫ મી ડિસેમ્બર સુધીમાં અરજી કરી શકશે. જેથી હજી આણંદ જિલ્લાના જે ખેડૂતો પાક નુકસાની માટે અરજી કરી ન હોય તેવા ખેડૂતોને વહેલી તકે અરજી કરવા પણ અનુરોધ કરવામાં આવે છે.