Close

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના

Publish Date : 21/06/2025

ખંભાત તાલુકાના વટાદરા ગામના મંજુબેન મહેશભાઈ પટેલના  અંતિમ સંસ્કાર ગાંધીનગર ખાતે કરાશે.

આણંદ તાલુકાના ગાના ગામના મોનિકા પટેલ અને સન્ની પટેલના મૃતદેહ તેમના સ્વજનોની ઇચ્છાનુસાર એર ઇન્ડિયાની ફ્લાઈટ મારફતે લંડન મોકલવામાં આવ્યા.

આણંદ,શનિવાર: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યાં હતા. જેમાં આણંદ જિલ્લાના ૨૯ જેટલા  મૃતકોના ડી.એન.એ તેમના  સ્વજનોનાં ડી.એન.એ.ની સાથે મેચ થતા તેમના મૃતદેહની સોંપણી અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવી છે.

આ માટે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મૃતકોના અંતિમ સંસ્કાર સમયે સ્વજનોને કઈ પણ મુશ્કેલી ન પડે તે માટે એસ્કોર્ટ કરીને  તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં છે.

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વટાદરા ગામના રહેવાસી મૃતક મંજુબેન મહેશભાઈ પટેલના મૃતદેહના અંતિમ સંસ્કાર ગાંધીનગર મુકામે કરવામાં આવશે.

આ ઉપરાંત આણંદ જિલ્લાના ગાના ગામના મોનિકા પટેલ અને સન્ની પટેલના મૃતદેહ તેમના સ્વજનોની ઇચ્છાનુસાર એર ઇન્ડિયાની ફ્લાઈટ મારફતે લંડન ખાતે મોકલવામાં આવ્યા છે.

આ મૃતકોના સ્વજનો માટે આવી પડેલ મુશ્કેલ પરિસ્થિતિમાં જિલ્લાના અગ્રણી પદાધિકારીઓ સહિત જિલ્લાના નિયુક્ત કરાયેલા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.