યોગ ફક્ત શારીરિક વ્યાયામ નથી, એ જીવન જીવવાની કળા ની સાથે સાથે વિજ્ઞાન પણ છે: નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી
Publish Date : 21/06/2025
આણંદ ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસ ની ઉજવણી કરાઈ.
સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ સહિત પદાધિકારીઓએ યોગાભ્યાસ કર્યો.
જિલ્લા કલેક્ટરશ્રી અને મહાનગરપાલિકા કમિશનરશ્રી સહિતના અધિકારીઓએ કોમન યોગા પ્રોટોકોલનો કર્યો અભ્યાસ.
આણંદ,શનિવાર: ૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અન્વયે આણંદ જિલ્લા કક્ષાની યોગ દિવસની ઉજવણી નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષપદે પ્રમુખ સ્વામી બેન્કવેટ હોલ, સાંગોડપુરા ખાતે કરવામાં આવી હતી.
પ્રાસંગિક પ્રવચનમાં નાયબ મુખ્યદંડકશ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, ૨૧મી જૂન જે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ દિવસે આપણા મનને સ્વાસ્થ્યને શાંતિ અને એકતા માટે સમાન દિવસ ગણવામાં આવેલો છે. વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે, આપણા પ્રાચીન ભારતીય જ્ઞાનની વૈશ્વિક સ્વીકૃતિ પણ આ દિવસ દર્શાવે છે.
વધુમાં તેમણે ગૌરવભેર જણાવતા કહ્યું કે, આજે વડનગર ખાતે એક ઐતિહાસિક ભૂમિમાં વિશ્વસર વિક્રમનું સર્જન પણ કરવા જઈ રહ્યું છે, જે આપણા સૌના માટે ગૌરવ સમાન ઘટના છે. આ વર્ષે આંતરાષ્ટ્રીય યોગ દિવસનો વિષય છે “યોગ ફોર વન અર્થ વન હેલ્થ’’ એટલે કે આ વિષય યોગના સર્વસમભાવ સમાવેશક સ્વરૂપને ઉજાગર કરે છે.
નાયબ મુખ્ય દંડકશ્રીએ યોગની મહિમા જણાવતા કહ્યું હતું કે,યોગ દ્વાર આપણા શરીર અને મનને સ્વસ્થ થાય છે,ત્યારે પરોક્ષ રીતે એક સ્વસ્થ સમાજની રચના પણ થાય છે. યોગ ફક્ત શારીરિક વ્યાયામ નથી એ જીવન જીવવાની કળા પણ છે સાથે સાથે વિજ્ઞાન પણ છે, જે આપણા શારીરિક,માનસિક અને આધ્યાત્મિક સાથે જોડે છે નિયમિત યોગાભ્યાસ દ્વારા આપણે તણાવમુક્ત પણ રહી શકીએ છીએ સાથે સાથે આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ પણ વધારી શકીએ છીએ અને આપણા જીવનમાં સકારાત્મક ઉર્જાનો પણ સંચાર કરી શકીએ છીએ.આ ઉપરાંત યોગાસનો આપણા શરીરને સુડોળ અને તંદુરસ્ત બનાવે છે, જ્યારે પ્રાણાયામ આપણા શ્વસન તસ્ત્રને મજબૂત બનાવે છે. સાથે સાથે મનની શાંતિ અને આધ્યાત્મિક ઉર્જા પણ દ્વારા મળે છે.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રીએ વડાપ્રધાનશ્રીને યાદ કરતાં જણાવ્યું કે,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અથાક પ્રયત્નોથી ફળસ્વરૂપે યુનાઈટેડ નેશન દ્વારા સમગ્ર વિશ્વમાં વર્ષ ૨૦૧૫માં સૌથી પહેલા યોગ દિવસની ઉજવણીની શરૂઆત કરાઈ હતી.જે અન્વયે ૧૧ માં યોગ દિવસ ઉજવણી આજ રોજ થઈ રહ્યું છે.
વડાપ્રધાનશ્રીએ પોતાની મન કિ બાતમાં પણ મેદસ્વિતા પણ ચિંતા વ્યક્ત કરી હતી.જે અન્વયે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યને મેદસ્વિતા મુક્ત કરવા માટે “સ્વસ્થ ગુજરાત: મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે,જેને રાજ્યભરમાં સરકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે, તેમ નાયબ દંડકશ્રીએ ગૌરવભેર જણાવ્યું હતું.
યોગ દિવસના અવસરે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ સહિત પદાધિકારીઓ સહભાગી બન્યા હતા.તથા જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી, મહાનગરપાલિકા કમિશનરશ્રી મિલીંદ બાપના, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી સહિતના અધિકારીઓએ કોમન યોગા પ્રોટોકોલનો અભ્યાસ કર્યો હતો.
આ વેળાએ ઉપસ્થિતોએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતેથી વડાપ્રધાનશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમ તથા રાજ્ય કક્ષાના મહેસાણાના વડનગરથી મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમને વર્ચ્યુઅલ નિહાળ્યો હતો.
યોગ દિવસના અવસરે સાણંદ શ્રી મિતેશભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ,ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, ,નિવાસી અધિક કલેકટર શ્રી આર.એસ.દેસાઈ,જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં જિલ્લાના યોગપ્રેમી લોકો જિલ્લા કક્ષાના યોગ કાર્યક્રમમાં સહભાગી બની યોગ કર્યા હતા.

યોગ ફક્ત શારીરિક વ્યાયામ નથી, એ જીવન જીવવાની કળા ની સાથે સાથે વિજ્ઞાન પણ છે: નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી

યોગ ફક્ત શારીરિક વ્યાયામ નથી, એ જીવન જીવવાની કળા ની સાથે સાથે વિજ્ઞાન પણ છે: નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી

યોગ ફક્ત શારીરિક વ્યાયામ નથી, એ જીવન જીવવાની કળા ની સાથે સાથે વિજ્ઞાન પણ છે: નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી

યોગ ફક્ત શારીરિક વ્યાયામ નથી, એ જીવન જીવવાની કળા ની સાથે સાથે વિજ્ઞાન પણ છે: નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી

યોગ ફક્ત શારીરિક વ્યાયામ નથી, એ જીવન જીવવાની કળા ની સાથે સાથે વિજ્ઞાન પણ છે: નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી

યોગ ફક્ત શારીરિક વ્યાયામ નથી, એ જીવન જીવવાની કળા ની સાથે સાથે વિજ્ઞાન પણ છે: નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી

યોગ ફક્ત શારીરિક વ્યાયામ નથી, એ જીવન જીવવાની કળા ની સાથે સાથે વિજ્ઞાન પણ છે: નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી

યોગ ફક્ત શારીરિક વ્યાયામ નથી, એ જીવન જીવવાની કળા ની સાથે સાથે વિજ્ઞાન પણ છે: નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી

યોગ ફક્ત શારીરિક વ્યાયામ નથી, એ જીવન જીવવાની કળા ની સાથે સાથે વિજ્ઞાન પણ છે: નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી

યોગ ફક્ત શારીરિક વ્યાયામ નથી, એ જીવન જીવવાની કળા ની સાથે સાથે વિજ્ઞાન પણ છે: નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી
