Close

ખંભાતની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે તા. ૧૩ મે ના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે

Publish Date : 09/05/2025

આણંદ,શુક્રવાર: જિલ્લા રોજગાર કચેરી, આણંદ દ્વારા યોજવામાં આવતા “રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળા” અંતર્ગત આગામી તા.૧૩ મે ના મંગળવાર ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ખંભાત સ્થિત બેઠક રોડ ઉપર આવેલ ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે રોજગાર ભરતી મેળો યોજાનાર છે.

આ ભરતી મેળામાં એસ.એસ.સી, એચ.એસ.સી,આઈ.ટી.આઈ,ડિપ્લોમા,ડિગ્રી, સ્નાતક, અનુસ્નાતકની લાયકાત ધરાવતા હોય અને જેઓની ઉંમર ૧૮ થી ૩૫ વર્ષ હોય હોય તેવા રોજગાર મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ તેઓના ઓછામાં ઓછા ૦૫ બાયોડેટા, શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રોની નકલ સાથે હાજર રહેવા જણાવાયું છે.

આ ઉપરાંત અનુબંધમ પોર્ટલમાં નોંધણી કરાવી હોય અથવા તો ન કરાવેલ હોય તેવા તમામ રોજગારવાંચ્છુ  ઉમેદવારો આ ભરતી મેળામાં ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે, તેમ રોજગાર અધિકારી, આણંદ દ્વારા જણાવાયું છે.