આત્મનિર્ભર ભારત ત્યારે જ બની શકે જ્યારે તેની ખેતી આત્મનિર્ભર બને, જે કુદરતી ખેતી તરફ પાછા વળવાથી શક્ય બનશે
Publish Date : 03/05/2025
આણંદ,શુક્રવાર: પ્રાકૃતિક ખેતીને આપણે જન આંદોલન બનાવવા વડાપ્રધાનશ્રીના ખેતીના વિવિધ પરિમાણો હોય જેવા કે,ફૂડ પ્રોસેસિંગ હોય, પ્રાકૃતિક ખેતી હોય.આ વિષયો ૨૧મી સદીમાં ભારતીય કૃષિમાં પરિવર્તન લાવવામાં ઘણા આગળ વધશે. ટેક્નોલોજી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેના તાલમેલના પ્રયોગો સમગ્ર દેશને દિશા બતાવી રહ્યા છે.
એક મહત્વનો પ્રશ્ન એ છે કે,માટી જ જવાબ આપશે ત્યારે શું થશે? જ્યારે હવામાન સાથ નહીં આપે, ત્યારે પેટાળમાં પાણી મર્યાદિત હશે ત્યારે શું થશે? આજે સમગ્ર વિશ્વમાં કૃષિને આ પડકારોનો સામનો કરવો પડે છે. એ વાત સાચી છે કે હરિયાળી ક્રાંતિમાં રસાયણો અને ખાતરોએ મહત્વની ભૂમિકા ભજવી છે. પરંતુ એ પણ એટલું જ સાચું છે કે તે જ સમયે તેના વિકલ્પો પર કામ કરતા રહેવું પડશે અને તેના પર વધુ ધ્યાન આપવું પડશે. ખેતીમાં વપરાતા જંતુનાશકો અને રાસાયણિક ખાતરોના કારણે ખેતીનો ખર્ચ વધે છે, ખેડૂતનો ખર્ચ વધે છે અને ગરીબોનું રસોડું પણ મોંઘુ થાય છે.
ખેતીને રસાયણશાસ્ત્રની પ્રયોગશાળામાંથી બહાર કાઢીને પ્રકૃતિની પ્રયોગશાળા સાથે જોડવી પડશે. જ્યારે કુદરતની પ્રયોગશાળાની વાત કરું છું, તે સંપૂર્ણપણે વિજ્ઞાન આધારિત છે. જે શક્તિ ખાતરમાં, બીજમાં છે. તે તત્વ પ્રકૃતિમાં પણ છે. ફક્ત પૃથ્વીમાં તે બેક્ટેરિયાનું પ્રમાણ વધારવું પડશે, જે તેની ફળદ્રુપ શક્તિને વધારે છે.
બીજથી લઈને માટી સુધીની દરેક વસ્તુને કુદરતી રીતે ટ્રીટ કરી શકો છો. પ્રાકૃતિક ખેતીમાં ન તો ખાતર પર ખર્ચ કરવો પડે છે, ન જંતુનાશક દવાઓ પર તેને ઓછી સિંચાઈની પણ જરૂર પડે છે અને તે પૂર અને દુષ્કાળનો સામનો કરવામાં પણ સક્ષમ છે. ભલે તે ઓછી સિંચાઈવાળી જમીન હોય કે વધુ પાણીવાળી જમીન, કુદરતી ખેતી ખેડૂતને વર્ષમાં ઘણા પાક લેવા દે છે. એટલું જ નહીં, ઘઉં-ડાંગર-કઠોળ કે ખેતરમાંથી જે કંઈ કચરો નીકળે છે, જે પાકના અવશેષો નીકળે છે,તેનો પણ તેમાં ઉપયોગ થાય છે. એટલે કે, ઓછી કિંમત, વધુ નફો. આ કુદરતી ખેતી છે.
એક ભ્રમ પણ ઉભો થયો છે કે કેમિકલ વગર પાક સારો નહીં આવે. જ્યારે સત્ય તદ્દન વિપરીત છે. અગાઉ રસાયણો ન હતા, પરંતુ પાક સારો હતો. માનવતાના વિકાસનો ઈતિહાસ આનો સાક્ષી છે. તમામ પડકારો હોવા છતાં, માનવતા કૃષિ યુગમાં સૌથી ઝડપી વિકાસ પામી, પ્રગતિ કરી. કારણ કે ત્યારે કુદરતી ખેતી યોગ્ય રીતે થતી હતી, લોકો સતત શીખતા ગયા. ઔદ્યોગિક યુગમાં ટેક્નોલોજીની શક્તિ છે, કેટલા સાધનો છે, હવામાન વિશે પણ માહિતી છે.
પ્રાકૃતિક ખેતીથી સૌથી વધુ ફાયદો થશે તે કૃષિ પ્રધાન દેશના ૮૦ ટકા નાના ખેડૂતો છે. તે નાના ખેડૂતો કે જેમની પાસે ૨ હેક્ટરથી ઓછી જમીન છે. આમાંના મોટાભાગના ખેડૂતો રાસાયણિક ખાતર પાછળ ઘણો ખર્ચ કરે છે. જો તેઓ કુદરતી ખેતી તરફ વળે તો તેમની સ્થિતિ સારી થશે. આજે દેશે આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કર્યું છે. આત્મનિર્ભર ભારત ત્યારે જ બની શકે જ્યારે તેની ખેતી આત્મનિર્ભર બને, દરેક ખેડૂત આત્મનિર્ભર બને. અને આ ત્યારે જ બની શકે જ્યારે રાસયણિક અને દવાઓને બદલે આપણી જમીનને ગાયના ગોબરધનથી, કુદરતી તત્વોથી સમૃદ્ધ કરીએ.