Close

ગુજરાત રાજ્ય સ્થાપના દિને બોચાસણમાં પુજ્ય રવિશંકર મહારાજના જીવન અને કાર્ય સંભારણાં કાર્યક્રમ યોજાયો

Publish Date : 01/05/2025

આણંદ, ગુરૂવાર: ગુજરાતના સ્‍થાપના દિવસની ૧ લી મે ગૌરવ દિવસની બોચાસણ ખાતે આવેલા વલ્લભ વિદ્યાલયમા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણી અંતર્ગત ગુજરાતને સ્‍વતંત્ર બનાવવામાં પાયાની ભૂમિકા ભજવનાર મુઠી ઉંચેરા માનવી, મુક સેવક પૂજ્ય રવિશંકર મહારાજના સમાધિ સ્‍થળની વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ અને પેટલાદ ના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલએ મુલાકાત લઇ સમાધિ સ્‍થળ ઉપર પુષ્‍પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રધ્‍ધાસુમન અર્પણ કર્યા હતા.

શ્રી રમણભાઈ સોલંકીએ પૂજ્ય રવિશંકર મહારાજ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતાં. તેમના સમાજપયોગી કાર્યોને કારણે તેઓ પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા હતા તેમ જણાવ્‍યું હતું.

 વધુમાં તેમણે પૂજ્ય રવિશંકર મહારાજ, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના શરૂઆતી કાળના અંતેવાસી હતાં. નાની ઉંમરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી તેઓ દેશ અને સમાજ સેવામાં જોડાયા. વિનોબા ભાવેની ભુદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામ કર્યુ હોવાનું ઉમેર્યું હતું.

 પૂજ્ય રવિશંકર મહારાજએ તેમનું સમગ્ર જીવન સમાજસેવામાં સમર્પિત કરી તેઓ સતત ચાલતા રહ્યા હતા, તેમ જણાવી પૂ. રવિશંકર મહારાજ સાચા સંત, મુઠ્ઠી ઊંચેરા માનવી,ગુજરાતના બીજા ગાંધી, મૂક સેવક વગેરે ઉપનામોથી તેમને નવાજવામાં આવ્‍યા હોવાનું કહ્યું હતું.

સાંસદ શ્રી મિતેશભાઇ પટેલે  જણાવ્યું હતું કે આઝાદી મળ્યા બાદ પૂ. રવિશંકર મહારાજ સમાજ સુધારણાના કામોમાં કાર્યરત થઈ ગયા હતા. તેમણે ૧૯૫૫થી ૧૯૫૮ ના ત્રણ વર્ષ દરમ્યાન ૭૧ વર્ષની ઉંમરે ભૂદાન માટે ૬,૦૦૦ કિલોમીટર પદયાત્રા કરી હતી. તેમણે દેશસેવામાં મૂઠી ઊંચેરા માનવી એવા પૂ. રવિશંકર મહારાજની સમાધિ સ્‍થળની મુલાકાત લઇને પૂ. રવિશંકર મહારાજને શ્રધ્‍ધાસમુન અર્પણ કરી ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

ગુજરાત રાજ્યના સ્થાપના દિને સમાધિ સ્થળે ગુજરાત વિધાપીઠ સંચાલિત સંસ્થાઓના સંચાલકો, કર્મચારીઓ, સામાજિક આગેવાનો , બોરસદ તાલુકા પંચાયત પ્રમુખ મિહિરભાઈ પટેલ, બોચાસણ સંસ્થાના સંચાલક ઉદેસિંહ સોલંકી, ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘના જીલ્લા અધ્યક્ષ જશુભા ઠાકોર , નોટરી એડવોકેટ અશોકભાઈ ઠાકોર,બોરસદ એપીએમસી ડિરેક્ટર હિતેશભાઈ પટેલ સહિત આગેવાનો હાજર રહ્યાં હતાં.

ગુજરાત રાજ્ય સ્થાપના દિને બોચાસણમાં પુજ્ય રવિશંકર મહારાજના જીવન અને કાર્ય સંભારણાં કાર્યક્રમ યોજાયો 1

ગુજરાત રાજ્ય સ્થાપના દિને બોચાસણમાં પુજ્ય રવિશંકર મહારાજના જીવન અને કાર્ય સંભારણાં કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્ય સ્થાપના દિને બોચાસણમાં પુજ્ય રવિશંકર મહારાજના જીવન અને કાર્ય સંભારણાં કાર્યક્રમ યોજાયો 2

ગુજરાત રાજ્ય સ્થાપના દિને બોચાસણમાં પુજ્ય રવિશંકર મહારાજના જીવન અને કાર્ય સંભારણાં કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્ય સ્થાપના દિને બોચાસણમાં પુજ્ય રવિશંકર મહારાજના જીવન અને કાર્ય સંભારણાં કાર્યક્રમ યોજાયો 3