Close

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની મત ગણતરી તા.04 મેના રોજ યોજાશે

Publish Date : 04/05/2026

બીજેવીએમ કોલેજ, વલ્લભ વિદ્યાનગર ખાતે સવારે 8:00 કલાકે મત ગણતરી શરૂ થશે

આણંદ, શનિવાર, 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન ગત તારીખ 23મી એપ્રિલ ના રોજ યોજાયું હતું.ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી આગામી તારીખ 04 મે સોમવારના રોજ સવારે 8-00 કલાકે બી જે વી એમ કોલેજ, વલ્લભ વિદ્યાનગર ખાતે કરવામાં આવશે. આ ચૂંટણીની મતગણતરી પોસ્ટલ બેલેટની મત ગણતરી થી શરૂઆત કરવામાં આવશે. ત્યારબાદ વિધાનસભાના 306 મતદાન મથકો ખાતે ઇવીએમ માં થયેલ મતદાનની મતગણતરી 14 ટેબલો ઉપર કરવામાં આવશે અને 22 રાઉન્ડના અંતે મત ગણતરી પૂર્ણ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે 23મી એપ્રિલના રોજ 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં યોજાયેલ મતદાનમાં વિધાનસભાના 306 મતદાન મથક ઉપર કુલ 59.04 ટકા મતદાન નોંધાયું હતું.