Close

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના કુલ 1986 વિદ્યાર્થીઓએ મનોવિજ્ઞાન સહિતના વિષયની પરીક્ષા આપી

Publish Date : 05/03/2026

આણંદ, ગુરૂવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આણંદ જિલ્લામાં ધોરણ-10 અને ધો. 12 ની પરીક્ષાઓ જિલ્લામાં શાતિપૂર્ણ વાતાવરણમાં ચાલી રહી છે.

જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલો મુજબ આજે તા.05 માર્ચના રોજ એચ.એસ.સી.ની સામાન્ય પ્રવાહના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં મનોવિજ્ઞાન સહિતના વિષયમાં નોંધાયેલા કુલ 2013 વિદ્યાર્થીઓ પૈકી 1986 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.  સામાન્ય પ્રવાહમા 23 અને વ્યવસાયલક્ષી  પ્રવાહમાં 04  વિદ્યાર્થીઓ મળીને કુલ=27 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં.

વધુમાં આણંદ જિલ્લામાં આજ સુધીમાં પરીક્ષા દરમિયાન ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા માં કોઇ ગેરરીતી કે અનિચ્છનીય ઘટના બનવા પામી નથી.