ધોરણ ૧૦/૧૨ની બોર્ડની પરીક્ષામાં ૧ થી ૩ ક્રમે ઉતિર્ણ થયેલ બાળકોને ઈનામ/પ્રશસ્તિ પત્રથી પ્રોત્સાહિત કરાશે
Publish Date : 26/05/2025
રાજ્યના સફાઈ કામદાર અને તેમનાં આશ્રિત બાળકોને જ ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની યોજનાનો લાભ મળશે.
નિગમની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પર તા. ૩૦ જુન સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આણંદ,શુક્રવાર:: માર્ચ ૨૦૨૫માં લેવાયેલ ધોરણ ૧૦/૧૨ની બોર્ડની પરીક્ષામાં રાજ્યના સફાઈ કામદાર અને તેમનાં આશ્રિત બાળકોને ૧ થી ૩ ક્રમે ઉતિર્ણ થયેલ બાળકોને ઈનામ/પ્રશસ્તિ પત્રથી પ્રોત્સાહિત કરવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.
આ યોજનાનું અરજી ફોર્મ નિગમની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પર તા.૩૦ જુન ૨૦૨૫ સુધીમાં અરજદારે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આ યોજના હેઠળ ધોરણ ૧૦માં ઉતિર્ણ થયેલ પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ.૪૧,૦૦૦, બીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ.૨૧,૦૦૦અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ.૧૧,૦૦૦ જેટલી રકમ અને પ્રશસ્તિ પત્ર તથા ધોરણ-૧૨માં ઉતિર્ણ થયેલ પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ.૩૧,૦૦૦, બીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ.૨૧,૦૦૦અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ.૧૧,૦૦૦ જેટલી રકમ અને પ્રશસ્તિ પત્રથી ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા એનાયત કરાશે
અત્રે નોંધનિય છે કે, આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદાનું કોઈ ધોરણ રાખવામાં આવેલ નથી.વધુમાં અરજી ફોર્મ નિગમની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પર તા.૩૦ જુન ૨૦૨૫ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.