કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ભયજનક જાહેરાતનું સ્ટ્રક્ચર દૂર કરાયું
Publish Date : 18/02/2026
આણંદ, સોમવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા સરદાર પટેલ રાજપથ માર્ગ પર ક્રિષ્ના કોર્નર સામે આવેલ ખાનગી પ્લૉટમાં જાહેરાતનું સ્ટ્રક્ચર ભયજનક જણાતા અને અકસ્માત થવાની શક્યતા હોય તેવી સંભાવના ને કારણે તથા કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય અને લોકોને તેનાથી તકલીફ ન પડે તે ધ્યાને લઈને તાત્કાલિક અસરથી મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરીને ખાનગી પ્લોટમાં મૂકવામાં આવેલું જાહેરાત માટેનું સ્ટ્રક્ચર તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવ્યું છે.
મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવા ભયજનક સ્ટ્રક્ચર મનપા વિસ્તારમાંથી ઉતારી લેવામાં આવશે.

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ભયજનક જાહેરાતનું સ્ટ્રક્ચર દૂર કરાયું

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ભયજનક જાહેરાતનું સ્ટ્રક્ચર દૂર કરાયું

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ભયજનક જાહેરાતનું સ્ટ્રક્ચર દૂર કરાયું