Close

આમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના

Publish Date : 19/06/2025

વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સોજીત્રા અને બોરસદ તાલુકાના મૃતકોના અંતિમ સંસ્કારમાં સહભાગી થતા નાયબ મુખ્ય દંડકશ્રી તથા સાંસદશ્રી સહિત પદાધિકારીઓ.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિયુક્ત અધિકારીઓ પણ રહ્યા ખડે પગે.

આણંદ,બુધવાર: અમદાવાદ ખાતે ગત દિવસોમાં થયેલી વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ પ્રવાસીઓ મૃત્યુ પામ્યા હતા, તે પૈકી જે મૃતકના પરિવારજનોના ડીએનએ મેચ થયા બાદ પાર્થિવ દેહની ઓળખ થતા તેમનો મૃતદેહ અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર તરફથી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.

ડીએનએ સેમ્પલિંગ  મેચ થતા આણંદ જિલ્લાના સોજીત્રાના મૃતક શ્રી નીલકંઠ ભાઈ ચંદુભાઈ પટેલ, બોરસદ તાલુકાના કસુંબાડ ગામના મૃતક ચૌહાણ રણવીર સિંહ નટવરસિંહ તથા  ઝારોલાના મૃતક શ્રી રમેશભાઈ નારણભાઈ પટેલની અંતિમ ક્રિયા વખતે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી તથા સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ સહિત તાલુકાના પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને મૃતકના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી તથા પરિવારજનોને દિલાસો પાઠવ્યો હતો.

જિલ્લા વહીવટી તંત્ર તરફથી નાયબ કલેક્ટરશ્રી હેતલબેન ભાલીયા,નાયબ કલેક્ટરશ્રી મીતાબેન ડોડીયા, સોજીત્રા મામલતદાર કચેરીના અધિકારીઓ, તાલુકા પંચાયતના અધિકારીઓ, સોજીત્રા પોલીસ મથકના સ્ટાફ, સોજીત્રાના અગ્રણીઓ તેમજ નગરજનો, બોરસદ તાલુકા વિકાસ અધિકારીશ્રી, બોરસદના તાલુકા આરોગ્ય અધિકારીશ્રી સહિત પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે,મૃતકોના પરિવારજનોને આ આવી પડેલ દુઃખદ ઘટનાના સહભાગી થવા માટે અગ્રણી પદાધિકારીઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ ખડે પગે રહ્યા હતા.

આમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના 1

આમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના

આમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના 2

આમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના

આમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના 3

આમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના

આમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના 4

આમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના

આમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના 5

આમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના

આમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના 6

આમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના

આમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના 8

આમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના

આમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના 9

આમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના

આમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના 7