આણંદ જીલ્લાની સરકારી કચેરીઓના મુખ્યગેટની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં બિન-અધિકૃત વ્યક્તિઓ પ્રવેશતા ત્રણ વ્યક્તિઓ સામે કરવામાં આવી કાયદાકીય કાર્યવાહી
Publish Date : 16/01/2026
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ ત્રણ વ્યક્તિઓ સામે કરવામાં આવી કાર્યવાહી
આણંદ, શુક્રવાર: આણંદ જીલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સરકારી કચેરીમાં ગેરકાયદેસર એજન્ટ તથા ટોળી બનાવીને કચેરીમાં પ્રવેશતા અરજદાર/નાગરિકોને ઉલટી-સીધી વાતો કરી ભોળવીને/લલચાવીને તેમજ ગેરમાર્ગે દોરીને વચેટીયા (એજન્ટ) તરીકે કામ કરાવી આપવાનું જણાવી, જાહેર જનતાના પૈસા લઇ ભાગી જતા હોવાનું તથા છેતરપીંડી કરતા હોવાનું ધ્યાન પર આવતા જીલ્લાની તમામ સરકારી કચેરી ખાતે સરકારી કામ માટે આવેલ હોય અથવા કામ કરતા હોય અથવા વ્યાજબી કામ સબબ આવેલ હોય તે સિવાયના અનઅધિકૃત ઇસમ અથવા ઇસમોની ટોળીને જીલ્લાની તમામ સરકારી કચેરીના મુખ્યગેટની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં ઉભા રહેવા તેમજ કચેરીમાં પ્રવેશતા અટકાવવા આણંદના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ઋતુરાજ દેસાઈ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
આ જાહેર નામાના ભંગ બદલ આણંદના ફેમિદાબેન સલીમભાઈ વોહરા, રહેવાસી – ન્યુ રે ઇલાહિ સોસાયટી, 100 ફૂટ રોડ, આણંદ, જીગ્નેશભાઈ શિશુપાલભાઈ મહેશ્વરી, રહેવાસી – સામરખા ગામમાં, આટીઓ કુવો વિસ્તાર, આણંદ અને જયેન્દ્રભાઈ મગનભાઈ દરજી, રહેવાસી સુરાસામળ, તાલુકો – નડિયાદ, જિલ્લો- ખેડા ની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.