આણંદ કૃષિ યુનિવર્સિટીમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત રવિવારે પ્રાકૃતિક કૃષિ રીફ્રેશર તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
Publish Date : 26/05/2025
પ્રાકૃતિક રિફ્રેશર તાલીમ કાર્યક્રમમાં પાંચ જિલ્લાના ૧૦૦૦ જેટલા ગ્રામસેવક, વિસ્તરણ, તાલુકાના બાગાયત અધિકારીઓને પ્રાકૃતિક કૃષિ અંગેનું માર્ગદર્શન અપાશે.
આણંદ, શુક્રવાર: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત તા. ૨૫ મે, રવિવારના રોજ સવારે ૯.૦૦ કલાકે આણંદ કૃષિ યુનિવર્સિટીના બી.એ.સી.એ. ઓડિટોરિયમ હોલમાં આત્મા અને આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાનાર પ્રાકૃતિક કૃષિ રીફ્રેશર તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
આ પ્રાકૃતિક કૃષિ રીફ્રેશર તાલીમ કાર્યક્રમમાં અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર અને બોટાદ સહિત પાંચ જિલ્લાના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા બાગાયત અધિકારી, કર્મીઓ અને આણંદ જિલ્લાની કૃષિ સખી, કોમ્યુનિટી રિસોર્સ પર્સન સહિત એક હજાર જેટલા અધિકારી – કર્મચારીઓ ઉપસ્થિત રહી પ્રાકૃતિક કૃષિ અંગે રાજ્યપાલશ્રી પાસેથી સીધું માર્ગદર્શન મેળવશે.