Close

આણંદ  અમીન ઓટો ફાટક નં.૪ ખાતે રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી લઈને નાના/ મધ્યમ વાહનો તથા ભારે વાહનોના ટ્રાફિક ડાયવર્ઝન માટેનું જાહેરનામું

Publish Date : 27/05/2025

તા.૩૦/૧૧/૨૦૨૫ સુધી વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ઝન અમલમાં રહેશે.

આણંદ,સોમવાર:: આણંદ  અમીન ઓટો ફાટક નં.૪(ચાર) ખાતે રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવનાર હોય તમામ પ્રકારના વાહનોની અવરજવર ઉપર કામચલાઉ પ્રતિબંધ મૂકતું તથા વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ઝન કરવા  અંગેનું જાહેરનામું આણંદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ઋતુરાજ દેસાઈએ પ્રસિદ્ધ કર્યું છે.

જે અન્વયે આણંદ શહેરમાંથી અમીન ઓટો તરફ જતો તમામ વાહન વ્યવહાર અને આણંદ શહેર બહારથી અમીન ઓટો તરફ જતો તમામ વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ડાયવર્ટ કરાયેલા તમામ વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન રૂટ: આણંદ શહેરમાંથી અમીન ઓટો  તરફ જતા તમામ વાહનો મહારાણા સર્કલ બ્રિજ ઉપરથી ચઢીને  જૂની આર.ટી.ઓ ઓફિસથી યુ ટર્ન લઈ સોજીત્રા તરફ જઈ શકશે.

આ ઉપરાંત આણંદ શહેર બહારથી અમીન ઓટો  તરફ આવતા તમામ વાહનો આણંદ- સોજીત્રા રોડ, ઉમા ભવન પાસેના બ્રિજ ઉપરથી મહારાણા સર્કલ થઈ આણંદ શહેર તરફ જઈ શકશે.

આ હુકમ  તા.૩૦/૧૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા -૨૦૨૩અન્વયે શિક્ષાને પાત્ર ઠરશે.