આણંદમાં બાગાયત ખાતાની યોજનાઓ અંતર્ગત હાઇબ્રિડ શાકભાજીના બિયારણની કીટનું વિતરણ કરાયું
Publish Date : 12/09/2025
ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કરાયો
આણંદ,ગુરુવાર: વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતાની વિવિધ યોજના હેઠળ “અનુસૂચિત જાતિ” ના ખેડૂતોને આણંદ નાયબ બાગાયત નિયામકશ્રી ડૉ સ્મિતા પિલ્લાઈની ઉપસ્થિતિમાં હાઈબ્રિડ શાકભાજીના બિયારણની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પેટલાદ, સોજીત્રા, બોરસદ, અને ખંભાત તાલુકાના ખેડૂતો હાજર રહ્યા હતા. તેઓને બાગાયતી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.તદ્ઉપરાંત અનુસૂચિત જાતિના ખેડૂતોને બાગાયત
ખાતાની સહાયલક્ષી યોજના તેમજ આત્મા અને ખેતીવાડી /પશુપાલન ખાતાની યોજનાઓનો લાભ લેવા અનુરોધ
કરીને તેમને પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કરવામાં આવ્યું હતું.
આ વેળાએ બાગાયત અધિકારી શ્રી કમલ ઠાકોર સહિત જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

આણંદમાં બાગાયત ખાતાની યોજનાઓ અંતર્ગત હાઇબ્રિડ શાકભાજીના બિયારણની કીટનું વિતરણ કરાયું
