Close

અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના મુસાફરોના મૃતદેહ લાવવા માટે વધુ ૦૫ એમ્બ્યુલન્સ કરાશે રવાના

Publish Date : 16/06/2025

આણંદ, શુક્રવાર: અમદાવાદ ખાતે ગત રોજ બનેલ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે.

આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના મૃતકોના પરિવારજનોના ડીએનએ ટેસ્ટ થયા બાદ મૃતકોની ઓળખ કરીને તેમના મૃતદેહોને અમદાવાદ ખાતેથી આણંદ સુધી લાવવામાં આવશે.આ માટે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા વધુ ૦૫ એમ્બ્યુલન્સવાન  રવાના કરવામાં આવનાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની ૧૦ જેટલી એમ્બ્યુલન્સ વાન અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અગાઉ મોકલવામાં આવી છે.

આમ, આણંદ જિલ્લાની કુલ ૧૫ એમ્બ્યુલન્સ વાન સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતેથી મૃતકોના મૃતદેહ લઈને આણંદ જિલ્લામાં પરત આવશે.