સ્વચ્છતા હી સેવા – 2025
Publish Date : 20/09/2025
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદ ખાતે યોગ શિબિર યોજાઈ
આણંદ, શુક્રવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત સ્વચ્છતા પખવાડિયા અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત આજે સાંગોડપુરા સ્થિત પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ ખાતે યોગ શિબિર નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ યોગ શિબિરમાં ઉપસ્થિતોને યોગ કરાવવામાં આવ્યા હતા અને યોગ ને અપનાવવાથી શરીર સ્વસ્થ રહે છે તંદુરસ્ત રહે છે અને નિયમિત યોગ પાલન કરવાથી જીવનમાં હકારાત્મકતાનો સમાવેશ થાય છે તેમ યોગ પ્રશિક્ષક દ્વારા જણાવાયું હતું.
મનપાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે. ગરવાલે જણાવ્યું હતું કે સ્વચ્છતા હી સેવા પખવાડિયા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો રોજે રોજ યોજવામાં આવી રહ્યા છે, જેમાં સહભાગી બનવા નગરજનોને તેમણે અપીલ કરી હતી. આ ઉપરાંત તેમણે યોગને જીવનનો એક ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો.
આ યોગ શિબિરમાં મનપાના સેનેટરી વિભાગ ના ઇન્સ્પેક્ટર શ્રી વિભાકર રાવ, મનપાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપરાંત નગરજનો જોડાયા હતા.

સ્વચ્છતા હી સેવા – 2025

સ્વચ્છતા હી સેવા – 2025

સ્વચ્છતા હી સેવા – 2025

સ્વચ્છતા હી સેવા – 2025

સ્વચ્છતા હી સેવા – 2025

સ્વચ્છતા હી સેવા – 2025

સ્વચ્છતા હી સેવા – 2025

સ્વચ્છતા હી સેવા – 2025

સ્વચ્છતા હી સેવા – 2025

સ્વચ્છતા હી સેવા – 2025