111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026
Publish Date : 20/03/2026
પેટા ચૂંટણી સંબંધે ભારતના ચૂંટણી પંચ દ્વારા જનરલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર અને ખર્ચ ઓબ્ઝર્વરની નિમણૂક કરાઈ
આણંદ સર્કિટ હાઉસ ખાતે જનરલ ઓબ્ઝર્વરશ્રી અને પોલીસ ઓબ્ઝર્વરશ્રી સોમવાર અને મંગળવારે 11-00 થી 12-00 કલાક દરમિયાન મળી શકશે
ખર્ચ ઓબ્ઝર્વરશ્રી આણંદ સર્કિટ હાઉસ ખાતે તારીખ 18 થી 20 માર્ચ દરમિયાન સવારે 9:30 થી 10:30 કલાક દરમિયાન મળશે
આણંદ, બુધવાર 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા જનરલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર અને ખર્ચ ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે.
આ ત્રણેય ઓબ્ઝર્વરશ્રીઓને જાહેર જનતા, રાજકીય પક્ષો અને ઉમેદવારો સંપર્ક કરી શકે તે માટે તેઓના નામ, સંપર્ક નંબર, મુલાકાતના સ્થળ અને મુલાકાતનો સમય પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
જે અન્વયે 111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે શ્રી માતા દિન મીણા (આઈ.એ.એસ.) ની નિમણૂક જનરલ ઓબ્ઝર્વર તરીકે કરવામાં આવી છે, તેઓનો મોબાઇલ નંબર 82005 72619 છે અને લેન્ડલાઈન નંબર 02692 255025 છે. તેઓ સર્કિટ હાઉસ, અમૂલ ડેરી રોડ, આણંદના વિશ્વામિત્રી રૂમ ખાતે સોમવાર અને મંગળવારે સવારે 11-00 થી 12-00 કલાક દરમિયાન મળી શકશે. ખર્ચ ઓબ્ઝર્વર શ્રી સંદીપકુમાર મિશ્રા (આઈ.આર.એસ.) નો મોબાઇલ નંબર 82002 57421 છે અને લેન્ડલાઈન નંબર 02692 255022 છે. તેઓ સર્કિટ હાઉસ, અમૂલ ડેરી રોડ, આણંદના મહીસાગર રૂમમાં તારીખ 18 માર્ચથી તારીખ 20મી માર્ચ દરમિયાન સવારે 9:30 કલાકથી 10:30 કલાક સુધી મળી શકશે. પોલીસ ઓબ્ઝર્વર શ્રી વિનોદકુમાર (આઈ.પી.એસ.) નો મોબાઇલ નંબર 63510 36383 છે. આ ઉપરાંત લેન્ડલાઈન નંબર 02692 255024 ઉપર પણ મળશે. તેઓ સર્કિટ હાઉસ, અમૂલ ડેરી રોડ, આણંદના નર્મદા રૂમ ખાતે દર સોમવારે અને મંગળવારે સવારે 11-00 થી 12-00 કલાક દરમિયાન મળી શકશે. આ ઉપરાંત આ ત્રણેય જનરલ, ખર્ચ અને પોલીસ ઓબ્ઝર્વરશ્રીઓને ફેક્સથી જાણ કરવી હોય તો 02692 255011 ઉપર ફેક્સ કરીને પણ જાણકારી આપી શકાશે.
આ ઉપરાંત ચૂંટણીલક્ષી અન્ય કોઈપણ ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર 1800 425 2560 કંટ્રોલરૂમ ખાતે પણ જાણ કરી શકાશે, તેમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે.