બંધ

જીલ્લા વિષે

આણંદ જિલ્લો જેનું નામ “શ્વેતક્રાંતિ” અને મોટા પાયે થયેલા સહકારી ક્ષેત્રના વિકાસના કારણે અર્વાચીન ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલ છે તે મૂળત: બૃહદ ખેડા જિલ્લાનો એક ભાગ હતો. ૧૯૯૭ માં આણંદ એક સ્વતંત્ર જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. આ રીતે આણંદ જિલ્લાનો ઈતિહાસ કાંઈ બહુ જુનો નથી. પણ ચરોતર (વાયકા પ્રમાણે ખેડા જિલ્લાનું બીજું પ્રચલિત નામ) ના એક ભાગ રૂપે આણંદ પાસે એક સમૃદ્ઘ વારસો છે. આણંદને તેની સમૃદ્વ અને ઉપજાઉ ભૂમિને કારણે “ચરોતર” તરીકે ઓળખવામાં આવે છે.

ભારતીય સ્વતંત્ર ચળવળમાં ભારતના મહાન નેતાઓમાંના એક સરદાર વલ્લભભાઈ પટેલ આણંદ જિલ્લાના કરમસદમાં ઉછર્યા હતા. તે તેમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલનું ઘર પણ હતું, જેઓ એક મહત્વપૂર્ણ રાજકીય નેતા પણ હતા. પટેલ બ્રધર્સ તેમના બે મોટા ભાઈઓ અને એક નાના ભાઈ અને બહેન અને માતા-પિતા જવેરભાઈ અને લાડબા પટેલ સાથે તેમના પરિવારના ખેતરની બાજુમાં માટીના ઈંટના મકાનમાં રહેતા હતા. આ ઘર આજ સુધી સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક તરીકે સાચવેલ છે.

વધુ વાંચો …

તાજેતરના સમાચાર

  • એમજીવીસીએલ પેટલાદ વિભાગ દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત ‘સ્માર્ટ મીટર પખવાડિયા’નો પ્રારંભ

    આણંદ, શુક્રવાર: મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) ની પેટલાદ વિભાગીય કચેરી દ્વારા કેન્દ્ર સરકારના પાવર મંત્રાલયના આદેશ અનુસાર “સ્માર્ટ મીટર અપનાવો, સ્માર્ટ શરૂઆત કરો” ના સૂત્ર સાથે સ્માર્ટ મીટર પખવાડિયાનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત MGVCL ના કર્મચારીઓ તેમજ પાવરગ્રીડ અને Intelliismart ના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો […]

  • સમયસૂચકતા અને સૂઝબુઝથી સફળ પ્રસૂતિ કરાવી માતા અને શિશુને નવજીવન આપતી કિંખલોડ ૧૦૮ ટીમ

    આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કિંખલોડ ગામમાં ૧૦૮ ઇમરજન્સી સેવાની ટીમે ઉમદા કામગીરી કરી માનવતા મહેકાવી છે. ગતરોજ વહેલી સવારે ૦૫:૩૪ કલાકે કિંખલોડના રવિપુરા સીમ વિસ્તારમાં રહેતા ૨૩ વર્ષીય સગર્ભા મહિલાને પ્રસૂતિની અસહ્ય પીડા ઉપડતા ૧૦૮નો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી ટીમે દર્દીની ગંભીર સ્થિતિ જોઈ હોસ્પિટલ પહોંચતા પહેલા જ પ્રસૂતિ કરાવવાનો મહત્વનો […]

  • ઓઇલપામ યોજના અંતર્ગત મેગા ઓઇલપામ પ્લાન્ટેશન ડ્રાઇવ હેઠળ એક દિવસીય તાલીમ યોજાઇ

    ખેડુતોને ઓઇલપામ પાક અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું આણંદ, ગુરૂવાર: નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, આણંદ તથા પતંજલિ ફૂડ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે બોરસદ તાલુકાના નાપા તડપદ ગામ ખાતે “મેગા ઓઇલપામ પ્લાન્ટેશન ડ્રાઇવ” અંતર્ગત એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમા કાર્યક્રમ દરમ્યાન ખેડૂત ભાઈઓને ઓઇલપામ પાક અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ પાકની પ્રાયોગિક સમજ […]

  • આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને PMFME યોજના અંતર્ગત બેઠક યોજાઈ

    યોજના અંતર્ગત કુલ ૧૮ ઉદ્યોગ સાહસિકોના પ્રોજેક્ટને મંજુરી અપાઇ આણંદ, ગુરૂવાર: જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આણંદ કલેક્ટર કચેરી ખાતે Ministry of Food Processing Industries (MOFPI) અંતર્ગત ચાલતી પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ (PMFME) યોજના અંતર્ગત જિલ્લા લેવલ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આણંદ જિલ્લાના ૧૮ પ્રોજેક્ટને મંજુર કરવામાં આવ્યા હતા.  આ યોજના અંતર્ગત અનાજ પ્રોસેસિંગ […]

વધુ...
Praveen Chaudhari
કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પ્રવીણ ચૌધરી, (આઈ.એ.એસ.)