• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

જીલ્લા વિષે

આણંદ જિલ્લો જેનું નામ “શ્વેતક્રાંતિ” અને મોટા પાયે થયેલા સહકારી ક્ષેત્રના વિકાસના કારણે અર્વાચીન ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલ છે તે મૂળત: બૃહદ ખેડા જિલ્લાનો એક ભાગ હતો. ૧૯૯૭ માં આણંદ એક સ્વતંત્ર જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. આ રીતે આણંદ જિલ્લાનો ઈતિહાસ કાંઈ બહુ જુનો નથી. પણ ચરોતર (વાયકા પ્રમાણે ખેડા જિલ્લાનું બીજું પ્રચલિત નામ) ના એક ભાગ રૂપે આણંદ પાસે એક સમૃદ્ઘ વારસો છે. આણંદને તેની સમૃદ્વ અને ઉપજાઉ ભૂમિને કારણે “ચરોતર” તરીકે ઓળખવામાં આવે છે.

ભારતીય સ્વતંત્ર ચળવળમાં ભારતના મહાન નેતાઓમાંના એક સરદાર વલ્લભભાઈ પટેલ આણંદ જિલ્લાના કરમસદમાં ઉછર્યા હતા. તે તેમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલનું ઘર પણ હતું, જેઓ એક મહત્વપૂર્ણ રાજકીય નેતા પણ હતા. પટેલ બ્રધર્સ તેમના બે મોટા ભાઈઓ અને એક નાના ભાઈ અને બહેન અને માતા-પિતા જવેરભાઈ અને લાડબા પટેલ સાથે તેમના પરિવારના ખેતરની બાજુમાં માટીના ઈંટના મકાનમાં રહેતા હતા. આ ઘર આજ સુધી સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક તરીકે સાચવેલ છે.

વધુ વાંચો …

તાજેતરના સમાચાર

  • આણંદ જિલ્લા કલેકટરશ્રીના  અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

    આણંદ,ગુરુવાર: જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કક્ષા અને તાલુકા-ગ્રામ્યક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારોની ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્વાગત […]

  • આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આણંદ જિલ્લામાં

    નાવલી દહેમી રોડ ઉપર નવનિર્મિત એન.સી.સી લીડરશીપ એકેડમીનું મુખ્યમંત્રીશ્રી કરશે લોકાપર્ણ. આણંદ, ગુરૂવાર: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે આણંદ જિલ્લામાં નાવલી દહેમી રોડ ઉપર નવનિર્મિત એન.સી.સી લીડરશીપ એકેડમીનું લોકાર્પણ કરશે. આણંદના નાવલી દહેમી રોડ ઉપર ૧૫ એકર વિસ્તારમાં એન.સી.સી. નગરનું નિર્માણ કાર્ય હાથ ધરાયું છે. જેના પ્રથમ તબક્કામાં નિર્માણ પામેલ એન.સી.સી લીડરશીપ એકેડમીનું લોકાપર્ણ આજે […]

  • ઉમરેઠ – નવાપુરા ચોકડી- બેચરી- સુરેલી ચોકડી- સુંદરપુરા(SH) પર બેચરી ગામ પાસેના બ્રિજ પર સલામતીના કારણોસર તા.૧૫ જૂન ૨૦૨૬ સુધી વાહન વ્યવહાર ડાઇવર્ટ કરાયો

    આણંદ, ગુરુવાર: ઉમરેઠ – નવાપુરા ચોકડી- બેચરી- સુરેલી ચોકડી- સુંદરપુરા(SH) પર બેચરી ગામ પાસેના બ્રિજ પર સલામતીના હેતુથી બ્રિજ ઉપર માત્ર ટુ વ્હીલર તથા પગપાળા માટે અવરજવર હેતુ ચાલુ રાખી બાકીના ટ્રાફિકને તા ૧૫ જૂન ૨૦૨૬ સુધી વૈકલ્પિક રસ્તા ઉપર ડાયવર્ટ કરવા અંગેનું જાહેરનામું આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ઋતુરાજ દેસાઈએ પ્રસિદ્ધ કર્યું છે. જે […]

  • બોરસદ નગરમાં રસ્તા રિપેરિંગ કામગીરીનું પ્રાદેશિક કમિશનર શ્રી એ કર્યું નિરીક્ષણ

    આરસીએમ કચેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા માર્ગોમાં ખાડા બાબતે આવતી ફરિયાદોનો નિકાલ કરવા સૂચના અપાઇ. આણંદ, ગુરુવાર: વડોદરા ઝોન હસ્તકના ૬ જિલ્લાની ૨૫ નગરપાલિકામાં હાલ ચોમાસાના કારણે રોડ-રસ્તાને થયેલ નુકસાન તથા ખાડાના રિપેરીંગની કામગીરી રાત દિવસ સઘન રીતે યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જેનું ઉચ્ચ અધિકારી દ્વારા સઘન રીતે દેખરેખ રાખવામા આવી રહ્યું છે. માર્ગ મરામતની […]

વધુ...
Praveen Chaudhari
કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પ્રવીણ ચૌધરી, (આઈ.એ.એસ.)