બંધ

જીલ્લા વિષે

આણંદ જિલ્લો જેનું નામ “શ્વેતક્રાંતિ” અને મોટા પાયે થયેલા સહકારી ક્ષેત્રના વિકાસના કારણે અર્વાચીન ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલ છે તે મૂળત: બૃહદ ખેડા જિલ્લાનો એક ભાગ હતો. ૧૯૯૭ માં આણંદ એક સ્વતંત્ર જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. આ રીતે આણંદ જિલ્લાનો ઈતિહાસ કાંઈ બહુ જુનો નથી. પણ ચરોતર (વાયકા પ્રમાણે ખેડા જિલ્લાનું બીજું પ્રચલિત નામ) ના એક ભાગ રૂપે આણંદ પાસે એક સમૃદ્ઘ વારસો છે. આણંદને તેની સમૃદ્વ અને ઉપજાઉ ભૂમિને કારણે “ચરોતર” તરીકે ઓળખવામાં આવે છે.

ભારતીય સ્વતંત્ર ચળવળમાં ભારતના મહાન નેતાઓમાંના એક સરદાર વલ્લભભાઈ પટેલ આણંદ જિલ્લાના કરમસદમાં ઉછર્યા હતા. તે તેમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલનું ઘર પણ હતું, જેઓ એક મહત્વપૂર્ણ રાજકીય નેતા પણ હતા. પટેલ બ્રધર્સ તેમના બે મોટા ભાઈઓ અને એક નાના ભાઈ અને બહેન અને માતા-પિતા જવેરભાઈ અને લાડબા પટેલ સાથે તેમના પરિવારના ખેતરની બાજુમાં માટીના ઈંટના મકાનમાં રહેતા હતા. આ ઘર આજ સુધી સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક તરીકે સાચવેલ છે.

વધુ વાંચો …

તાજેતરના સમાચાર

  • રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદીની નોંધણીની મુદત માં વધારો

    તા. ૫ મી એપ્રિલ સુધી ખેડૂત મિત્રો નોંધણી કરાવી શકશે. ખેડૂતોને નોંધણી બાબતે કઈ તકલીફ હોય તો હેલ્પ લાઇન નંબર ૮૫૧૧૧ ૭૧૭૧૮ તથા ૮૫૧૧૧ ૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવા અનુરોધ. આણંદ, શનિવાર: ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે રૂ ૨,૪૨૫/- પ્રતિ ક્વી. ઘઉંની […]

  • અગ્નિવીર આર્મી ભરતી  માટે  ઓનલાઈન પસંદગી કસોટી યોજાશે

    આણંદ,શનિવાર: ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે આર્મી ભરતી કાર્યાલય દ્વારા અગ્નીવીર આર્મી ભરતી રેલી (૨૦૨૫- ૨૦૨૬)ની પસંદગી કસોટી માટે ઓનલાઈન ફોર્મ ભરવા બાબતે આયોજન કરવામાં આવ્યું છે. આ લશ્કરી ભરતી મેળામાં અગ્નીવીર જનરલ ડયુટી, અગ્નીવીર ટેક્નિકલ, અગ્નિવિર ક્લાર્ક/ સ્ટોરકીપર ટેકનીકલ ધોરણ ૧૨ પાસ માટે, અગ્નીવીર ટ્રેડમેન ધોરણ ૮ પાસ તથા […]

  • શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી વર્ષ અંતર્ગત વિચારગોષ્ઠીનું આયોજન

    આણંદ,શનિવાર: કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા  યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, આણંદ  અને પી.એમ.પટેલ કોલેજ, આણંદના સહયોગથી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી વર્ષ અંતર્ગત વિચારગોષ્ઠી કાર્યક્રમનું આયોજન “ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તાઓ  શ્રી વી.પી.રામાણી અને ડો મનન મહેતા દ્વારા અખંડ ભારતના શિલ્પી  સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર, સ્વતંત્રતા આંદોલન તેમજ એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત વક્તવ્ય રજૂ […]

  • આણંદ જિલ્લામાં  જિલ્લા કક્ષા યૂથ પાર્લામેન્ટનું આયોજન

    આણંદ,શનિવાર:  કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા  યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, આણંદ અને પી.એમ.પટેલ કોલેજ, આણંદના સહયોગથી  “જિલ્લા કક્ષા યૂથ પાર્લામેન્ટ ૨૦૨૪ -૨૫” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી, આણંદ અક્ષય મકવાણાએ મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરવાની સાથે જ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. […]

વધુ...
Praveen Chaudhari
કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પ્રવીણ ચૌધરી, (આઈ.એ.એસ.)