બંધ

જીલ્લા વિષે

આણંદ જિલ્લો જેનું નામ “શ્વેતક્રાંતિ” અને મોટા પાયે થયેલા સહકારી ક્ષેત્રના વિકાસના કારણે અર્વાચીન ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલ છે તે મૂળત: બૃહદ ખેડા જિલ્લાનો એક ભાગ હતો. ૧૯૯૭ માં આણંદ એક સ્વતંત્ર જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. આ રીતે આણંદ જિલ્લાનો ઈતિહાસ કાંઈ બહુ જુનો નથી. પણ ચરોતર (વાયકા પ્રમાણે ખેડા જિલ્લાનું બીજું પ્રચલિત નામ) ના એક ભાગ રૂપે આણંદ પાસે એક સમૃદ્ઘ વારસો છે. આણંદને તેની સમૃદ્વ અને ઉપજાઉ ભૂમિને કારણે “ચરોતર” તરીકે ઓળખવામાં આવે છે.

ભારતીય સ્વતંત્ર ચળવળમાં ભારતના મહાન નેતાઓમાંના એક સરદાર વલ્લભભાઈ પટેલ આણંદ જિલ્લાના કરમસદમાં ઉછર્યા હતા. તે તેમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલનું ઘર પણ હતું, જેઓ એક મહત્વપૂર્ણ રાજકીય નેતા પણ હતા. પટેલ બ્રધર્સ તેમના બે મોટા ભાઈઓ અને એક નાના ભાઈ અને બહેન અને માતા-પિતા જવેરભાઈ અને લાડબા પટેલ સાથે તેમના પરિવારના ખેતરની બાજુમાં માટીના ઈંટના મકાનમાં રહેતા હતા. આ ઘર આજ સુધી સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક તરીકે સાચવેલ છે.

વધુ વાંચો …

તાજેતરના સમાચાર

  • રાજ્ય સરકારના બજેટમાં આણંદ જિલ્લા માટે થયેલી વિશેષ જોગવાઇ

    સોજીત્રા અને આંકલાવમાં નવા મહેસુલી ભવનોના બાંધકામ માટે કરવામાં આવી નાણાંકીય જોગવાઇ આણંદ, ગુરૂવાર : રાજ્ય સરકાર દ્વારા આજે વિધાનસભામાં રજૂ કરવામાં આવેલ બજેટમાં આણંદ જિલ્લા માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. મહેસુલી સેવાઓ નાગરિકોને સરળતાથી અને ત્વરિત મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. જેની પ્રતિતી આ બજેટમાં થઈ છે. આ બજેટમાં મહેસુલ […]

  • આણંદ મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરી ૨૬૫ ટન જેટલા કચરાનો કરાયો નિકાલ

    મનપા ના વિવિધ વિસ્તારોમાં ફોગીંગ કામગીરી, પોરા નાશક દવા છંટકાવની કામગીરી, ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની કામગીરી અને વરસાદી ચેમ્બરની સફાઈની સઘન કામગીરી હાથ ધરાઈ આણંદ, ગુરુવાર: આણંદ મ્યુનિસિપલ કમિશનરશ્રી મિલિન્દ બાપનાના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશનું આયોજનબધ્ધ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જે અન્વયે મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારમાં તા.૨૬/૦૧/૨૦૨૫ થી […]

  • આણંદ જિલ્લામાં 30 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે એનસીડી સ્ક્રીનિંગ અભિયાનનો આજથી પ્રારંભ

    તા.૩૧ મે સુધી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ તપાસ અભિયાન ધરાશે આણંદ,ગુરૂવાર:: જિલ્લા આરોગ્ય વિભાગ-આણંદ દ્વારા સરકારશ્રીના માર્ગદર્શન મુજબ હાઈપરટેન્શન (ઉચ્ચ રક્તદબાણ) અને ડાયાબિટીસ (મધુમેહ) જેવા નોન- કોમ્યુનિકેબલ ડિસીઝ ડિસિઝ (NCD) માટે વિશેષ તપાસ અભિયાન તા.૨૦/૦૨/૨૦૨૫ થી તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ 30 વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક […]

  • પ્રાકૃતિક ખેતીમાં અતિ ઉપયોગી રસાયણમુક્ત જંતુનાશક શસ્ત્ર– ‘બ્રહ્માસ્ત્ર’

    આણંદ, ગુરૂવાર: પ્રાકૃતિક ખેતીમાં પાકના રક્ષણ માટે રાસાયણ યુક્ત દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. પરંતુ કુદરતી રીતે તૈયાર કરવામાં આવતાં જંતુનાશક શસ્ત્રો જેવાં કે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણી અર્ક, ખાટી છાશ, સુંઠાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે પાકને પૂરતું રક્ષણ મળે છે જેથી ખેત ઉત્પાદનમાં અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે. જંતુનાશક શસ્ત્રો પૈકિના ‘બ્રહ્માસ્ત્ર’ બનાવવાની […]

વધુ...
Praveen Chaudhari
કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પ્રવીણ ચૌધરી, (આઈ.એ.એસ.)