જીલ્લા વિષે
આણંદ જિલ્લો જેનું નામ “શ્વેતક્રાંતિ” અને મોટા પાયે થયેલા સહકારી ક્ષેત્રના વિકાસના કારણે અર્વાચીન ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલ છે તે મૂળત: બૃહદ ખેડા જિલ્લાનો એક ભાગ હતો. ૧૯૯૭ માં આણંદ એક સ્વતંત્ર જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. આ રીતે આણંદ જિલ્લાનો ઈતિહાસ કાંઈ બહુ જુનો નથી. પણ ચરોતર (વાયકા પ્રમાણે ખેડા જિલ્લાનું બીજું પ્રચલિત નામ) ના એક ભાગ રૂપે આણંદ પાસે એક સમૃદ્ઘ વારસો છે. આણંદને તેની સમૃદ્વ અને ઉપજાઉ ભૂમિને કારણે “ચરોતર” તરીકે ઓળખવામાં આવે છે.
ભારતીય સ્વતંત્ર ચળવળમાં ભારતના મહાન નેતાઓમાંના એક સરદાર વલ્લભભાઈ પટેલ આણંદ જિલ્લાના કરમસદમાં ઉછર્યા હતા. તે તેમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલનું ઘર પણ હતું, જેઓ એક મહત્વપૂર્ણ રાજકીય નેતા પણ હતા. પટેલ બ્રધર્સ તેમના બે મોટા ભાઈઓ અને એક નાના ભાઈ અને બહેન અને માતા-પિતા જવેરભાઈ અને લાડબા પટેલ સાથે તેમના પરિવારના ખેતરની બાજુમાં માટીના ઈંટના મકાનમાં રહેતા હતા. આ ઘર આજ સુધી સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક તરીકે સાચવેલ છે.
તાજેતરના સમાચાર
-
હર ઘર તિરંગા અભિયાન:: આણંદ જિલ્લો
સોજીત્રાના ધારાસભ્ય શ્રી વિપુલ પટેલના અધ્યક્ષપદે તારાપુર નગરપાલિકા વિસ્તારમાં તિરંગા પદ યાત્રા યોજાઈ રક્ષા શક્તિ સ્કૂલના વિદ્યાર્થીઓએ સૈન્ય કર્મીના યુનિફોર્મ પહેરીને તિરંગા યાત્રાને બનાવી યાદગાર આણંદ, સોમવાર: રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન તિરંગા યાત્રા કાર્યક્રમની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહી છે. જે અન્વયે આણંદ જિલ્લામાં તારાપુર નગરપાલિકામાં સોજીત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલના અધ્યક્ષપદે હર […]
-
મોગર બેંક ઓફ બરોડા શાખા દ્વારા મોગર ખાતે નાણાકીય યોજનાઓ માટે મેગા કેમ્પ યોજાયો
આણંદ, સોમવાર: મોગર બેંક ઓફ બરોડા શાખા દ્વારા મોગર ખાતે નાણાકીય યોજનાઓ માટે મેગા કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રીમતી પૂર્ણિમા લાકરાએ નિષ્ક્રિય ખાતાઓના ફરીથી કેવાયસી કરવા અંગે ગામ બીસી સાથે વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનમંત્રી શ્રી જન ધન ખાતાઓ અને કેવાયસી અંગે સંદેશ ઓડિયો ક્લિપ વગાડીને આપવામાં આવ્યો હતો. […]
-
સ્વાતંત્ર પર્વ અંતર્ગત પખવાડિયાની ઉજવણી
મત્સ્ય પ્રવૃતિ સાથે સંકળાયેલ માછીમારો, ગામ તળાવ ઇજારદારોને ખાતાની વિવિધ યોજનાઓની જાણકારી અપાઇ આણંદ, સોમવાર: સ્વાતંત્ર પર્વ અંતર્ગત પખવાડિયા ઉજવણીના કાર્યક્રમો નિમિત્તે મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી, આણંદ દ્વારા મત્સ્ય પ્રવૃતિ સાથે સંકળાયેલ માછીમારો, પગડિયા માછીમારો તેમજ ગામ તળાવ ઇજારદારોને ખાતાની વિવિધ યોજનાઓ એનએફડીપી પોર્ટલ રજીસ્ટ્રેશન, આઇ ખેડુત પોર્ટલમાં રજીસ્ટ્રેશન બાબતે, કેસીસી બાબતે સમજણ મળી રહે […]
-
હર ઘર તિરંગા” અભિયાન :: આણંદ જિલ્લો
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ ૧૫ વિસ્તારોમાં હર ઘર તિરંગા સેલ્ફી પોઇન્ટ મુકાયા યુવાઓ હર ઘર તિરંગા સેલ્ફી પોઇન્ટ ઉપર સેલ્ફી લેવા ઊંમટી પડ્યા આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા” સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ”ની થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જિલ્લા કલેકટર […]

જાહેર ઉપયોગીતાઓ
ઝડપી સંપર્ક
-
સીએમ રિલીફ ફંડમાં ઓનલાઈન દાન
-
iORA દ્વારા અરજી કરો
-
આણંદ જિલ્લા પંચાયત
-
આણંદ પોલીસ
-
આણંદ નગરપાલિકા
-
જાહેર વિતરણ વ્યવસ્થા
-
જાહેર ફરિયાદ
-
રાજ્ય પોર્ટલ
-
સરકારી ઓર્ડર
-
વસ્તી ગણતરી
-
કૃષિ યોજનાના લાભો
-
જમીન રેકર્ડસ
-
મહેસુલ વિભાગ ગુજરાત
-
ગુજરાતના માનનીય રાજ્યપાલ
-
ગરવી - જંત્રી, ઈન્ડેક્સ-૨
-
મુખ્ય ચૂંટણી અધિકારી ગુજરાત
-
ભારતનું ચૂંટણી પંચ
-
મુખ્ય મંત્રીની ઓનલાઇન ફરિયાદ નિવારણ સિસ્ટમ (સ્વાગત)
-
ગુજરાત ચૂંટણી 2022
18002331014 -
પોલીસ..../....ફાયર
100, 101 -
એમ્બ્યુલન્સ -
108 -
નાગરિક કોલ સેન્ટર -
155300 -
બાળ હેલ્પલાઇન -
1098 -
મહિલા હેલ્પલાઇન -
1091 -
ક્રાઇમ સ્ટોપર -
1090