બંધ

જીલ્લા વિષે

આણંદ જિલ્લો જેનું નામ “શ્વેતક્રાંતિ” અને મોટા પાયે થયેલા સહકારી ક્ષેત્રના વિકાસના કારણે અર્વાચીન ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલ છે તે મૂળત: બૃહદ ખેડા જિલ્લાનો એક ભાગ હતો. ૧૯૯૭ માં આણંદ એક સ્વતંત્ર જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. આ રીતે આણંદ જિલ્લાનો ઈતિહાસ કાંઈ બહુ જુનો નથી. પણ ચરોતર (વાયકા પ્રમાણે ખેડા જિલ્લાનું બીજું પ્રચલિત નામ) ના એક ભાગ રૂપે આણંદ પાસે એક સમૃદ્ઘ વારસો છે. આણંદને તેની સમૃદ્વ અને ઉપજાઉ ભૂમિને કારણે “ચરોતર” તરીકે ઓળખવામાં આવે છે.

ભારતીય સ્વતંત્ર ચળવળમાં ભારતના મહાન નેતાઓમાંના એક સરદાર વલ્લભભાઈ પટેલ આણંદ જિલ્લાના કરમસદમાં ઉછર્યા હતા. તે તેમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલનું ઘર પણ હતું, જેઓ એક મહત્વપૂર્ણ રાજકીય નેતા પણ હતા. પટેલ બ્રધર્સ તેમના બે મોટા ભાઈઓ અને એક નાના ભાઈ અને બહેન અને માતા-પિતા જવેરભાઈ અને લાડબા પટેલ સાથે તેમના પરિવારના ખેતરની બાજુમાં માટીના ઈંટના મકાનમાં રહેતા હતા. આ ઘર આજ સુધી સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક તરીકે સાચવેલ છે.

વધુ વાંચો …

તાજેતરના સમાચાર

  • આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષા

    ધોરણ 10 માં 554 વિદ્યાર્થીઓ, ધોરણ 12 માં 111 વિદ્યાર્થીઓ ગેરહાજર આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ખાતેનાં કંટ્રોલ રૂમ તરફથી આપવામાં આવેલ માહિતી મુજબ પાંચમાં  દિવસે સવારે ધોરણ ૧૦ માં  વિષય, ગણિત બેઝિક  વિષયમાં કુલ વિદ્યાર્થી ૨૯૬૬૩ જેમાંથી હાજર વિદ્યાર્થી ૨૯૧૦૯, ગેરહાજર ૫૫૪ અને ધોરણ ૧૨ માં  સંસ્કૃત પ્રથમ વિજ્ઞાન વિષયમાં કુલ ૨૮ વિદ્યાર્થીઓ […]

  • બોરસદ તાલુકાના નામણ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

    સેવા સેતુ ના માધ્યમથી છેવાડાના માનવીને ઘર આંગણે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો પહોંચે તે જ મુખ્ય આશય – નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ વિભાગોને લગતી સેવાઓની 3955 જેટલી અરજીઓનો કરાયો હકારાત્મક નિકાલ 10 ગામના લોકોએ મેળવ્યા સ્થળ ઉપર જ સરકારી લાભ આણંદ, શુક્રવાર: સેવા સેતુ 2.0 કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય […]

  • ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના કુલ 1986 વિદ્યાર્થીઓએ મનોવિજ્ઞાન સહિતના વિષયની પરીક્ષા આપી

    આણંદ, ગુરૂવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આણંદ જિલ્લામાં ધોરણ-10 અને ધો. 12 ની પરીક્ષાઓ જિલ્લામાં શાતિપૂર્ણ વાતાવરણમાં ચાલી રહી છે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલો મુજબ આજે તા.05 માર્ચના રોજ એચ.એસ.સી.ની સામાન્ય પ્રવાહના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં મનોવિજ્ઞાન સહિતના વિષયમાં નોંધાયેલા કુલ 2013 વિદ્યાર્થીઓ પૈકી 1986 […]

  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા.07 મી માર્ચના રોજ આણંદ જિલ્લાની મુલાકાતે

    પેટલાદ ચામુંડા માતાજીના મંદિર ખાતે ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લામાં આગામી તા.07 મી માર્ચ શનિવારના રોજ પેટલાદ ખાતે અતિ પૌરાણિક શ્રી ચામુંડા માતાજી મંદિરમાં યોજાનાર  કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધારનાર છે. જેને ધ્યાને લઇ સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજન […]

વધુ...
Praveen Chaudhari

કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ

શ્રી પ્રવીણ ચૌધરી, (આઈ.એ.એસ.)