બંધ

જીલ્લા વિષે

આણંદ જિલ્લો જેનું નામ “શ્વેતક્રાંતિ” અને મોટા પાયે થયેલા સહકારી ક્ષેત્રના વિકાસના કારણે અર્વાચીન ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલ છે તે મૂળત: બૃહદ ખેડા જિલ્લાનો એક ભાગ હતો. ૧૯૯૭ માં આણંદ એક સ્વતંત્ર જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. આ રીતે આણંદ જિલ્લાનો ઈતિહાસ કાંઈ બહુ જુનો નથી. પણ ચરોતર (વાયકા પ્રમાણે ખેડા જિલ્લાનું બીજું પ્રચલિત નામ) ના એક ભાગ રૂપે આણંદ પાસે એક સમૃદ્ઘ વારસો છે. આણંદને તેની સમૃદ્વ અને ઉપજાઉ ભૂમિને કારણે “ચરોતર” તરીકે ઓળખવામાં આવે છે.

ભારતીય સ્વતંત્ર ચળવળમાં ભારતના મહાન નેતાઓમાંના એક સરદાર વલ્લભભાઈ પટેલ આણંદ જિલ્લાના કરમસદમાં ઉછર્યા હતા. તે તેમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલનું ઘર પણ હતું, જેઓ એક મહત્વપૂર્ણ રાજકીય નેતા પણ હતા. પટેલ બ્રધર્સ તેમના બે મોટા ભાઈઓ અને એક નાના ભાઈ અને બહેન અને માતા-પિતા જવેરભાઈ અને લાડબા પટેલ સાથે તેમના પરિવારના ખેતરની બાજુમાં માટીના ઈંટના મકાનમાં રહેતા હતા. આ ઘર આજ સુધી સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક તરીકે સાચવેલ છે.

વધુ વાંચો …

તાજેતરના સમાચાર

  • ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે ઘી નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયા

    ૨ એકમોને  કુલ રૂ.૨.૨૫ લાખનો દંડ કરતાં એડજયુડીકેટીંગ ઓફિસરશ્રી ઋતુરાજ દેસાઈ. આણંદ,ગુરૂવાર: આણંદની ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલ એકમોના ઘીના નમૂના લેવામાં આવ્યા હતા.જે સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાતા એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર,આણંદ દ્વારા આવા ૨ એકમોને દંડ કરવામાં આવ્યો છે. આ એકમોમાં શ્રી રાણા હિરેન કુમાર રાજેશભાઈ,દિવ્ય […]

  • હિટવેવ સામે રક્ષણ મેળવવા અંગે આણંદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી

    આણંદ,ગુરૂવાર: આણંદ જિલ્લામાં હિટવેવની અસર વર્તાઈ રહી હોવાથી તેનાથી બચવા માટે સુરક્ષિત રહેવાના પગલાંઓ લેવા જરૂરી છે. માટે લોકોએ હીટવેવથી બચવા માટે શું કરવું અને શું ન કરવું તે માટે નીચે મુજબના પગલાં લેવા જિલ્લા વહીવટી તંત્ર, આણંદ તરફથી અનૂરોઘ કરવામાં આવ્યો છે. હિટવેવથી બચવા શું કરવું. સ્થાનિક હવામાનની આગાહી માટે રેડિયો સાંભળો, ટીવી જુઓ […]

  • તારાપુરની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે તા. ૨૫ એપ્રિલના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે

    આણંદ,ગુરૂવાર: જિલ્લા રોજગાર કચેરી, આણંદ દ્વારા યોજવામાં આવતા “રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળા” અંતર્ગત તા.૨૫ એપ્રિલના શુક્રવાર રોજ સવારે ૧૧:૦૦ કલાકે તારાપુરની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે રોજગાર ભરતી મેળો યોજાનાર છે. આ ભરતી મેળામાં એસ.એસ.સી, એચ.એસ.સી,આઈ.ટી.આઈ,ડિપ્લોમા,ડિગ્રી, સ્નાતક, અનુસ્નાતકની લાયકાત ધરાવતા હોય અને જેઓની ઉંમર ૧૮ થી ૩૫ વર્ષ હોય હોય તેવા રોજગાર મેળવવા ઈચ્છતા […]

  • ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે મશરૂમના નમૂના મીસ બ્રાન્ડેડ જાહેર કરાયા

    ૬ એકમોને  કુલ રૂ.૩ લાખનો દંડ કરતાં એડજયુડીકેટીંગ ઓફિસરશ્રી ઋતુરાજ દેસાઈ. આણંદ,ગુરૂવાર: આણંદની ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલ એકમોના મશરૂમના નમૂના લેવામાં આવ્યા હતા.જે સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાતા એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર,આણંદ દ્વારા આવા ૬ એકમોને દંડ કરવામાં આવ્યો છે. આ એકમોમાં શ્રી શાદાબઅલી ઈલ્યાસ શેખ,સાફિર ફૂડ […]

વધુ...
Praveen Chaudhari
કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પ્રવીણ ચૌધરી, (આઈ.એ.એસ.)