જીલ્લા વિષે
આણંદ જિલ્લો જેનું નામ “શ્વેતક્રાંતિ” અને મોટા પાયે થયેલા સહકારી ક્ષેત્રના વિકાસના કારણે અર્વાચીન ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલ છે તે મૂળત: બૃહદ ખેડા જિલ્લાનો એક ભાગ હતો. ૧૯૯૭ માં આણંદ એક સ્વતંત્ર જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. આ રીતે આણંદ જિલ્લાનો ઈતિહાસ કાંઈ બહુ જુનો નથી. પણ ચરોતર (વાયકા પ્રમાણે ખેડા જિલ્લાનું બીજું પ્રચલિત નામ) ના એક ભાગ રૂપે આણંદ પાસે એક સમૃદ્ઘ વારસો છે. આણંદને તેની સમૃદ્વ અને ઉપજાઉ ભૂમિને કારણે “ચરોતર” તરીકે ઓળખવામાં આવે છે.
ભારતીય સ્વતંત્ર ચળવળમાં ભારતના મહાન નેતાઓમાંના એક સરદાર વલ્લભભાઈ પટેલ આણંદ જિલ્લાના કરમસદમાં ઉછર્યા હતા. તે તેમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલનું ઘર પણ હતું, જેઓ એક મહત્વપૂર્ણ રાજકીય નેતા પણ હતા. પટેલ બ્રધર્સ તેમના બે મોટા ભાઈઓ અને એક નાના ભાઈ અને બહેન અને માતા-પિતા જવેરભાઈ અને લાડબા પટેલ સાથે તેમના પરિવારના ખેતરની બાજુમાં માટીના ઈંટના મકાનમાં રહેતા હતા. આ ઘર આજ સુધી સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક તરીકે સાચવેલ છે.
તાજેતરના સમાચાર
-
આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય પેટા ચૂંટણીઓનું મતદાન તારીખ ૨૨ જૂન ૨૦૨૫ના રવિવારના રોજ સવારના ૦૭:૦૦કલાકથી સાંજના ૧૮:૦૦ કલાક દરમિયાન યોજાશે
મતદાનના દિવસે રજા આપવા તથા જરૂરી વૈકલ્પિક વ્યવસ્થા કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી. આણંદ,સોમવાર: આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય/પેટા ચૂંટણી તા.૨૨/૦૬/૨૦૨૫, રવિવારના રોજ યોજવામાં આવનાર છે. રવિવારના દિવસે મતદાન કરવાનું હોવાથી મહાનગરપાલિકા/નગરપાલિકા/જીલ્લા પંચાયત/તાલુકા પંચાયત અને તેમની તાબાની કચેરીઓમાં સામાન્ય રીતે રજા હોય છે. તેમ છતાં કેટલીક ગ્રામીણ બેંકો, રાષ્ટ્રીય અને ખાનગી બેંકો, સહકારી […]
-
અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતક આણંદના કિંજલબેન સુરેશકુમાર મિસ્ત્રીનો નશ્વર દેહ તેમના પરિજનોને સોંપાયો
સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ સહિતના પદાધિકારીઓએ પરિવારજનોને આપી સાંત્વના. પ્રાંત અધિકારી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી સહિતના અધિકારીઓ રહ્યાં ઉપસ્થિત. આણંદ, સોમવાર: અમદાવાદ ખાતે ગત દિવસોમાં થયેલી વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોના પરિજનોના DNA સેમ્પલ મેચ થયા બાદ નશ્વર દેહને સોંપવાની કામગીરી ચાલી રહી છે. જે અન્વયે ૨૯, ઉત્સવ પાર્ક, ભાલેજ રોડ, […]
-
અમદાવાદ વિમાન દુર્ઘટના
આણંદના તાલુકાના મૃતકોનો નશ્વર દેહ તેમના પરિજનોને સોંપાયો. સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ સહિતના પદાધિકારીઓએ પુષ્પાંજલિ આપીને પરિવારજનોને આપી સાંત્વના. આણંદ, સોમવાર: અમદાવાદ ખાતે ગત દિવસોમાં થયેલી વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોના પરિજનોના DNA સેમ્પલ મેચ થયા બાદ નશ્વર દેહને સોંપવાની કામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટનામાં આણંદ જિલ્લાના મૃતકોના પાર્થિવ દેહની ઓળખ થતા આજે અમદાવાદ […]
- Pro Active Discloser-2025 Anand Gramya

જાહેર ઉપયોગીતાઓ
ઝડપી સંપર્ક
-
સીએમ રિલીફ ફંડમાં ઓનલાઈન દાન
-
iORA દ્વારા અરજી કરો
-
આણંદ જિલ્લા પંચાયત
-
આણંદ પોલીસ
-
આણંદ નગરપાલિકા
-
જાહેર વિતરણ વ્યવસ્થા
-
જાહેર ફરિયાદ
-
રાજ્ય પોર્ટલ
-
સરકારી ઓર્ડર
-
વસ્તી ગણતરી
-
કૃષિ યોજનાના લાભો
-
જમીન રેકર્ડસ
-
મહેસુલ વિભાગ ગુજરાત
-
ગુજરાતના માનનીય રાજ્યપાલ
-
ગરવી - જંત્રી, ઈન્ડેક્સ-૨
-
મુખ્ય ચૂંટણી અધિકારી ગુજરાત
-
ભારતનું ચૂંટણી પંચ
-
મુખ્ય મંત્રીની ઓનલાઇન ફરિયાદ નિવારણ સિસ્ટમ (સ્વાગત)
-
ગુજરાત ચૂંટણી 2022
18002331014 -
પોલીસ..../....ફાયર
100, 101 -
એમ્બ્યુલન્સ -
108 -
નાગરિક કોલ સેન્ટર -
155300 -
બાળ હેલ્પલાઇન -
1098 -
મહિલા હેલ્પલાઇન -
1091 -
ક્રાઇમ સ્ટોપર -
1090