બંધ

આણંદના સણસોલી ખાતે આવેલ  કૃષિ સંશોધન કેન્દ્ર તથા આણંદ કૃષિ યુનિર્વસિટીના સંયુક્ત ઉપક્રમે   નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ

પ્રકાશિત તારીખ : 29/05/2025

કૃષિ સખી અને કોમ્યુનિટી રીસોર્સ પર્શન માટે પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ.

આણંદ,ગુરુવાર: આણંદના સણસોલી ખાતે આવેલ  કૃષિ સંશોધન કેન્દ્ર તથા આણંદ કૃષિ યુનિર્વસિટીના સંયુક્ત ઉપક્રમે   નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના અંતર્ગત કૃષિ સખી અને કોમ્યુનિટી રીસોર્સ પર્શન માટે પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ.

ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો  વ્યાપ વધે તે માટે કેંદ્ર સરકારે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ શરૂ કરેલ છે તેના ભાગરૂપે  પ્રાકૃતિક કૃષિ તાલીમનો  આરંભ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે સહ સંશોધન વૈજ્ઞાનિક અને વડા ડૉ.ડી.બી.પ્રજાપતિએ નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ પર પ્રસ્તાવના તેમજ આણંદ કૃષિયુનિવર્સિટી દ્વારા બહાર પાડેલ જુદી જુદી જાતો તેમજ બિયારણ ઉપલબ્ધિ વિશે માહિતી આપેલ છે.

મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. એમ. બી. ઝાલાએ પ્રાકૃતિક કૃષિમાં પાક સંરક્ષણ પર માહિતી આપેલ હતી. મદદનીશ વિસ્તરણ શિક્ષણશાત્રી ડૉ. ભરતભાઇ એન.ઠકકરએ પ્રાકૃતિક કૃષિની જરુરિયાત પર માહિતી આપેલ હતી. અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોના પ્રશ્નોનુ નિરાકરણ કરેલ હતુ.

વડોદરાના સાવલીના ફાર્મર મિત્ર અને પ્રગતિશીલ ખેડુત એવા કશ્યપ પટેલે જમીનની ફળદ્રુપતાનુ મહત્વ અને જમીનની હાલની ચિતાઓની માહિતી આપેલ હતી. આ કાર્યક્રમનું સંચાલન ડૉ. ટી આર. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ તાલીમ કાર્યક્રમમાં મહેમદાવાદ અને ખેડા તાલુકાના સર્વ કૃષિ સખી અને કોમ્યુનિટી રીસોર્સ પર્શન તેમજ સર્વ સ્ટાફ દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો અને  સ્વચ્છતા અભિયાન અંતર્ગત શપથ લેવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રિસર્ચ એસોસિએટ  ડૉ. ટી. આર. પટેલ સહીત તથા આત્મા ખેડાનો સ્ટાફ હાજર રહ્યો હતો.