આણંદ નિવાસી અધિક કલેકટરશ્રી આર.એસ.દેસાઈના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
પ્રકાશિત તારીખ : 26/05/2025
આણંદ,ગુરૂવાર: નિવાસી અધિક કલેકટરશ્રી આર.એસ. દેસાઈના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કક્ષા અને તાલુકા-ગ્રામ્ય્યક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારોની ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા રજૂ કરાયેલ ૦૭ જેટલા પ્રશ્નો મુદ્દે જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓ સાથે જરૂરી જાણકારી મેળવી અરજદાર સાથે વાત કર્યા બાદ ૦૭ પૈકી ૦૫ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. બાકી રહેલ ૦૨ પ્રશ્ન વધુ વિગત મેળવીને આગામી માસના જિલ્લા સ્વાગતમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.