• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

૧૯ વિઘા જેટલા ખેતરમાં ઓઇલ પામના રોપા વાવીને “વન ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ લોંગ ટાઇમ ગેઈન” ની વિભાવનાને સાર્થક કરતાં બોરસદના ખેડૂત શ્રી યાકેશભાઇ પટેલ

પ્રકાશિત તારીખ : 21/06/2025

“ઓઇલપામ યોજના” અંતર્ગત મેગા ઓઇલપામ પ્લાન્ટેશન ડ્રાઇવ હેઠળ આણંદ જિલ્લામાં ઓઈલ પામ પાકનું વાવેતર કરાયું.

રાજ્ય તથા રાષ્ટ્રને ઓઇલ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા આણંદ જિલ્લા ખેડૂતોને ઓઇલ પામની  ખેતી કરવા અપીલ કરતા બાગાયત નિયામકશ્રી.

આણંદ,શુક્રવાર: બોરસદ તાલુકામાં ૧૯ વીઘાં ખેતર ધરાવતા ખેડૂતે ‘ઓઇલપામ’ની ખેતી કરી પરંપરાગત રીતે પાક લેતા મોટા ખેડૂતો માટે ખેતી ક્ષેત્રે નવી રાહ ચીંધી છે.

 રાજ્ય સરકારના બાગાયત ખાતાના પ્રયાસોથી આજીવન આવક આપતી આ ખેતીને બોરસદ તાલુકામાં ખુબ જ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે.

 લોકવાયકા છે કે, ચરોતરની જમીનો પર જે કંઇ પણ વાવો કે તે મબલખ પાક આપે છે. તેમ છતાં ૩૦ થી ૪૦ વીઘા જમીન લઇ બેઠેલા ખેડૂતો માહિતીના અભાવે પરેશાન રહેતા હોય છે. આવા જ મોટા ખેડૂતોને બોરસદ તાલુકાના અલારસા ગામના ખેડૂતે તેલ પામની(ઓઇલ પામ) ખેતી કરી તંદુરસ્ત આવક મેળવીને ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.

ઓઈલ  પામની  ખેતીએ વાણિજ્ય ક્ષેત્રની વિભાવના મુજબ “વન ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ લોંગ ટાઇમ ગેઈન ” ને સાર્થક કરે છે. જે મુજબ એક વખત ઓઇલ પામના રોપા વાવીને તેના ફળસ્વરૂપે સતત ૩૦ વર્ષ સુધી આવક મળતી રહે છે.જેની સાથે સાથે ખેતરમાં બાકી રહેતી જગ્યામાં પણ તે આંતરપાકો દ્વારા વધારાની આવક મેળવી લે છે.

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અલારસા ગામ રહેતા પ્રગતીશીલ ખેડૂત શ્રી યાકેશભાઇ પટેલના ખેતરે આણંદ બાગાયત વિભાગ અને   પતંજલિ ફૂડ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે  “મેગા ઓઇલપામ પ્લાન્ટેશન ડ્રાઇવ” યોજાઈ હતી.

આ કાર્યક્રમ હેઠળ યાકેશભાઈ  દ્વારા તેમના પોતાના  ખેતરમાં ૬૫૦ થી વધુ ટેનેરા જાતના ઓઇલપામના રોપાઓનું સફળ વાવેતર કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પતંજલિ ફૂડ લિમિટેડના મેનેજર શ્રી ભાનુ પ્રતાપસિંહએ જણાવ્યું કે , ઓઇલ પામની ખેતીનો ખરો લાભ રોપા લગવ્યાના  ૫ વર્ષ પછી થશે.પરંતુ આ સમય દરમિયાન પણ  ખેડૂત પોતાના ખેતરમાં રિંગણ, ટામેટા, મરચા, દૂધી, તુરીયા જેવા રોકડીયા આંતરપાકો લઈ શકે છે.

આ ઉપરાંત બાગાયત ખાતા દ્વારા પણ તેમને આગામી ચાર વર્ષ સુધી ખેતી સહાય પણ આપવામાં આવે છે.

આ પ્રસંગે આણંદના નાયબ બાગાયત નિયામકશ્રી ડો.નિલેશ પટેલ જણાવ્યુ કે છેલ્લા બે વર્ષમાં આંણદ, ખેડા, મહિસાગર જિલ્લામાં કુલ ૨૫૦ હેક્ટરથી પણ વધુ વિસ્તારમાં ઓઇલ પામનું વાવેતર થયું છે.

હાલમાં દેશમાં તેલની માંગણી ખૂબ વધી રહી છે. ત્યારે સીંગ તેલ, સરસિયું, કપાસિયા વગેરે તેલની માંગને આપૂર્તિ કરી શકાય તેમ નથી. વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે,તેલીબિયાં પાકો એક હેક્ટર દીઠ ૭૦૦ કિલો તેલ આપે છે,જયારે ઓઈલ પામ એક હેક્ટર દીઠ ૫૦૦૦ કિલો ઓઇલ આપે છે. બીજી બાજુ હવે પામોલીન તેલની ડિમાંડ ખૂબ વધી છે. જેથી ખેડુતો દ્વારા દિવસે દિવસે વાવેતર વધી રહ્યુ છે.

અત્રે ઉલ્લેખ ને છે કે, ભારત દેશમાં ખાદ્ય તેલનો 50% થી વધુ ભાગ વિદેશોમાંથી આયાત કરવાથી ઘણા વિદેશી મુદ્રામાં ખર્ચ થાય છે. જો ઓઇલ પામની મદદથી આપણો દેશ ખાદ્ય તેલમાં આત્મનિર્ભર  બની શકે છે. આ માટે બાગાયત નિયામકની કચેરી દ્વારા પ્લાનટીંગ મટીરીયલ્સ અંતર્ગત સ્વદેશી રોપાઓ માટે પ્રતિ હેક્ટર રૂ.૨૦ હજાર અને આયાત કરેલ રોપાઓ માટે રૂ.૨૯ હજાર ની સહાય ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ સાથે આપવામાં આવે છે.વધુમાં ૪ વર્ષ સુધી રૂ.૪૨ હજાર સહાય પેટે મેન્ટેનન્સ પ્લસ ઓઇલ પંપ માં આંતરપાક માટે ઇનપુટ્સ ખર્ચ આપવામાં આવે છે.

આથી રાજ્યને તથા રાષ્ટ્રને ઓઈલ ક્ષેત્રે આત્મ નિર્ભર બનાવવા માટે આણંદ જિલ્લા ખેડૂતોને ઓઇલ પામની  ખેતી કરવા  નાયબ બાગાયત નિયામકશ્રી દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.

૧૯ વિઘા જેટલા ખેતરમાં ઓઇલ પામના રોપા વાવીને

૧૯ વિઘા જેટલા ખેતરમાં ઓઇલ પામના રોપા વાવીને “વન ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ લોંગ ટાઇમ ગેઈન” ની વિભાવનાને સાર્થક કરતાં બોરસદના ખેડૂત શ્રી યાકેશભાઇ પટેલ

૧૯ વિઘા જેટલા ખેતરમાં ઓઇલ પામના રોપા વાવીને