વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
પ્રકાશિત તારીખ : 06/06/2025
વિઠ્ઠલ ઉદ્યોગનગર ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન ખાતે “પ્લાસ્ટીક અવેરનેશ” અંગે સેમિનાર યોજાયો.
આણંદ, ગુરુવાર: પ મી જુનને સમગ્ર વિશ્વ “વિશ્વ પર્યાવરણ દિન” તરીકે ઉજવે છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ ઉજવણીમાં ઔદ્યોગીક એકમો પણ સહભાગી બને તે આશય સાથે ઔદ્યોગીક વસાહતો / એકમોને સાથે રાખીને ઔદ્યોગીક એકમોને “પ્લાસ્ટીક અવેરનેશ” અંગેનું માર્ગદર્શન આપવા માટે આણંદની ઔદ્યોગીક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, ગુજરાત પોલ્યુશન કંન્ટ્રોલ બોર્ડ, જી.આઈ.ડી.સી., નોટીફાઇડ એરીયા ઓફીસ, આણંદ મહાનગર પાલિકા તથા જીવર્તન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે એક માહિતીસભર કાર્યક્રમ વિઠ્ઠલ ઉદ્યોગ નગર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોલ ખાતે યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઔદ્યોગીક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના મદદનીશ નિયામક શ્રીમતિ રીનાબેન રાઠવા દ્વારા પ્રસંગોચિત ઉદબોધન તથા ઔદ્યોગીક એકમોમાં સલામતી માટેની જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં પર્યાવરણ તજજ્ઞ ડો. દર્શક પરમાર દ્વારા પ્લાસ્ટીકના ઉપયોગ, તેના ગેર લાભ તથા પ્લાસ્ટીકના સંદર્ભમાં તલસ્પર્શી માર્ગદર્શન આપ્યુ હતું.
જીવર્તન ફાઉન્ડેશન દ્વારા પ્રેઝન્ટેશન દ્વારા પ્લાસ્ટીકથી થતા નુકશાન અને તેના નિવારણ અંગે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.
પ્રારંભમાં વિઠ્ઠલ ઉદ્યોગનગર ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન પ્રમુખ શ્રી હેમલભાઈ પટેલે સૌનો આવકાર કર્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસોસીએશનની પોલ્યુશન કંન્ટ્રોલ કમીટીના કન્વીનર શ્રી સોહમ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નોટીફાઈડ એરીયા-વિ.ઉ.નગરના ચીફ ઓફીસર શ્રી મનીષભાઈ પટેલ, ગુજરાત પોલ્યુશન કંન્ટ્રોલ બોર્ડ-આણંદના શ્રી જય પટેલ તથા શ્રી હેમીલ પાદરીયા, વિઠ્ઠલ ઉદ્યોગ નગર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના શ્રી હેમલ પટેલ, શ્રી ચિંતન પંડયા, શ્રી પિનલ પટેલ, શ્રી સ્નેહલ પટેલ, શ્રી રાજેશ જે. પટેલ, જીવર્તન ફાઉન્ડેશનનના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતાં.