રાષ્ટ્રીય એકતા દિવસ-આણંદ
પ્રકાશિત તારીખ : 01/11/2025
જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના શપથ લેવાયા
આણંદ, ગુરુવાર: દર વર્ષે તા.૩૧ ઓકટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
જે અન્વયે આણંદ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની ઉપસ્થિતિમાં વિવિધ કચેરીઓના અધિકારીઓ તથા કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવાના સંકલ્પને સાકાર કરવા તથા રાષ્ટ્ર પ્રત્યેની ફરજોના સ્મરણ સાથે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના શપથ લીધા હતા.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી,નિવાસી અધિક કલેકટર શ્રી આર.એસ. દેસાઈ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રાષ્ટ્રીય એકતા દિવસ-આણંદ

રાષ્ટ્રીય એકતા દિવસ-આણંદ

રાષ્ટ્રીય એકતા દિવસ-આણંદ