બંધ

ચિખોદરા આણંદ કાંસની સાફ-સફાઈની કામગીરી ટૂંક સમયમાં કરાશે

પ્રકાશિત તારીખ : 06/06/2025

ચિખોદરા આણંદ કાંસ ફક્ત વરસાદી પાણીના નિકાલ માટે હોવાથી તેમાં દૂષિત પાણીનો નિકાલ ન કરવા અનુરોધ કરતા કાર્યપાલક ઈજનેરશ્રી.

આણંદ, શુક્રવાર: આણંદ સિંચાઈ વિભાગ હેઠળના  આણંદ, કાંસ પેટા વિભાગ અંતર્ગત ઉમરેઠ,આણંદ, પેટલાદ,બોરસદ આંકલાવ તાલુકામાંથી પસાર થતાં ૫૫૦ કિલોમીટર નોટિફાઈડ નેટવર્કની જાળવણી અને મરામતની કામગીરી કરવામાં આવે છે.

આણંદ સિંચાઈ વિભાગ દ્વારા ચિખોદરા આણંદ કાંસ નોટિફાઇડ કાંસ છે. આ કાંસ  ફક્ત વરસાદી પાણીના નિકાલ માટેનો જ છે. જેમાં આજુબાજુના રહેતા લોકો દ્વારા  કચરો તથા ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે છે. જેના લીધે દૂષિત પાણી ભળતા કાંસમાં વધુ ગંદકી થઈ  રહી છે.

આથી  આણંદ સિંચાઈ વિભાગ દ્વારા આ કાંસમાં કચરો ન નાખવા જણાવવામાં આવે છે. વધુમાં  ટૂંક સમયમાં ચિખોદરા-આણંદ કાંસની  સાફ-સફાઈ પણ વહેલી  તકે કરવામાં આવશે, તેમ આણંદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે.