• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ

પ્રકાશિત તારીખ : 27/06/2025

તા.૨૭ મી જૂન, શુક્રવાર, બીજો દિવસ.

અગ્ર સચિવ શ્રી મુકેશકુમાર, સચિવ શ્રી આંધ્રા અગ્રવાલ અને અગ્ર સચિવ શ્રી મોહમ્મદ શાહિદ આજે આણંદ તાલુકાની શાળાઓ ખાતે ઉપસ્થિત રહી બાળકોને શાળા પ્રવેશ કરાવશે.

આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ અંતર્ગત ત્રિ દિવસીય કાર્યક્રમમાં ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ હાજર રહીને બાળકોને શાળા પ્રવેશ કરાવશે.

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશકુમાર આજે તારીખ ૨૭ મી જૂન શુક્રવારના રોજ સવારે ૮-૦૦ કલાકે આણંદ તાલુકામાં ચિખોદરા કન્યા અને કુમાર પ્રાથમિક શાળા ખાતે ત્યારબાદ એમ. વી.એસ હાઇસ્કુલ /ઝેડ એસ.જી. હાઇસ્કુલ, સારસા ખાતે સવારે ૧૦- ૦૦ કલાકે અને ત્યારબાદ એચ.એલ. પટેલ હાઇસ્કુલ, સામરખા ખાતે બપોરે ૧૨- ૦૦ કલાકે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજર રહેશે.

સામાન્ય વહીવટ વિભાગ આયોજન પ્રભાગ, ગાંધીનગરના સચિવ શ્રી આંધ્રા અગ્રવાલ આજે તારીખ ૨૭ મી જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના બીજા દિવસે આણંદ તાલુકાના જીટોડીયા પ્રાથમિક શાળા ખાતે સવારે ૮- ૦૦ કલાકે ત્યારબાદ સાર્વજનિક હાઇસ્કુલ, નાપાડ વાંટા ખાતે સવારે ૧૦-૦૦ કલાકે અને બપોરે ૧૨- ૦૦ કલાકે એન. એલ. પટેલ હાઇસ્કુલ નાપાડ તળપદ ખાતે હાજર રહેશે.

જ્યારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગરના અગ્ર સચિવ શ્રી મોહમ્મદ શાહિદ આજે તારીખ ૨૭ જૂન ના રોજ આણંદ તાલુકા ની કાસોર કન્યા પ્રાથમિક શાળા ખાતે સવારે ૮-૦૦ કલાકે ત્યારબાદ આર આઈ. પટેલ વિદ્યાલય, રાહતલાવ ખાતે સવારે ૧૦- ૦૦ કલાકે અને બપોરે ૧૨- ૦૦ કલાકે સર્વોદય વિનય મંદિર હાઇસ્કુલ, અજરપુરા ખાતે હાજર રહી બાળકોને શાળા પ્રવેશ કરાવશે.