આણંદ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ
પ્રકાશિત તારીખ : 06/06/2025
વૃક્ષારોપણ કાર્યક્રમ થીમ અને એક પેડ માં કે નામ ૨.૦ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ તેમજ રોપાનું વિતરણ કરાયું.
આણંદ,ગુરુવાર: વિશ્વ પર્યાવરણ દિવસ અન્વયે આણંદ જિલ્લામાં પર્યાવરણની જાળવણી માટે વિશેષ જનજાગૃત્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
જે અંતર્ગત આજ રોજ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વિશ્વ પર્યાવરણ દિન પખવાડિયાની ઉજવણીનાં ભાગ રૂપે મોટા પાયે વૃક્ષારોપણ કાર્યક્રમ થીમ અને એક પેડ માં કે નામ ૨.૦ અભિયાન અંતર્ગત બોરસદ ન્યાય મંદીર તથા સોજીત્રાના વિરોલ તથા આંકલાવ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં વનવિભાગ દ્વારા રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણીના અવસરે સખી મંડળનાં બહેનો, પોલીસ કર્મીઓ,નગર પાલિકાના કર્મીઓ તથા સ્વચ્છાગ્રહીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
