બંધ

આણંદ જિલ્લાના બે વ્યક્તિઓ આંકલાવના મુકેશભાઈ પઢીયાર અને કરમસદ પંચવટી વિસ્તારના અજય ભાઈ તળપદાની પાસા હેઠળ અટકાયત

પ્રકાશિત તારીખ : 17/02/2025

આણંદ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી પ્રવીણ ચૌધરીએ અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા પાસાના કર્યા હુકમો

આણંદ જિલ્લાના બે વ્યક્તિઓ દ્વારા ખાનગી રહે અવારનવાર બહારથી વાહનોમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ચોરી છુપી થી લાવીને આણંદ તથા આજુબાજુના વિસ્તારોમાં વેચાણ કરે છે, અથવા વેચાણ કરાવે છે, જે જાહેર જનતાના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

આ ઉપરાંત ગુજરાતમાં દારૂબંધીની નીતિ અમલમાં છે, તેવું જાણતા હોવા છતાં પણ ગેરકાયદેસરના ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટાપાયે વેચવાનો ધંધો કરે છે અને બુટલેગર હોવાની લોકોમાં પોતાની છાપ ઊભી કરે છે તેવું માલુમ પડેલ છે.

દારૂ વેચવાની પ્રવૃત્તિથી જાહેર જનતાના સ્વાસ્થ્યને જોખમ તથા ભય ઊભો થવાનો સંભવ છે, જાહેર સલામતી તથા જાહેર વ્યવસ્થા અને જાહેર સુખાકારીને નુકસાન થવાનું પૂરેપૂરો સંભવ છે, જેથી કાયદા વિરુદ્ધ ની પ્રવૃત્તિ અટકાવવાના ઇરાદાથી આંકલાવ ખાતે ગંભીરા મંદિર પાસે રહેતા મુકેશભાઈ મફતભાઈ પઢીયાર અને કરમસદ પંચવટી નવાઘરા ના અજય ભાઈ ઉર્ફે માંજરો જેણાભાઈ તળપદાની પાસા હેઠળ અટકાયત કરવા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી આણંદ ની દરખાસ્ત મુજબ પ્રવીણ ચૌધરી (આઈ.એ.એસ.) જિલ્લા મેજિસ્ટ્રેટ, આણંદ દ્વારા ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબતના અધિનિયમ ૧૯૮૫ હેઠળ પાસા હેઠળ અટકાયત કરી આકલાવના મુકેશભાઈ પઢીયાર ને પાલારા ખાસ જેલ, ભુજ – કચ્છ અને કરમસદ પંચવટી ના અજયભાઈ તળપદા ને લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે મોકલી આપવા હુકમ કરવામાં આવ્યો છે.