આણંદના લાંભવેલ ખાતેના નવનિર્મિત વર્ગખંડોનું લોકાર્પણ ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલના વરદહસ્તે કરાયું
પ્રકાશિત તારીખ : 08/04/2025
આણંદ, શનિવાર: ગુજરાત સરકારના સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળા, લાંભવેલના અંદાજિત કિંમત ૯૪ લાખ ૫૦ હજાર રૂપિયાની કિંમતના ૦૭ જેટલા વર્ગખંડોનું તથા પ્રાથમિક શાળા ખોડીયાર નગર (લાંભવેલ ) ખાતે રૂ.૧ કરોડ ૮ લાખ જેટલા ખર્ચે નિર્માણ થયેલ ૦૮ જેટલા વર્ગખંડોનું લોકાર્પણ આણંદ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે કર્યું હતું.
આ વર્ગખંડોમાં બાળકો ને ભણવા માટે સ્માર્ટ બોર્ડ સહિત અન્ય ભૌતિક સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવ્યા છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ,જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી સુનિલભાઈ સોલંકી, શાળાના આચાર્યશ્રી સહિત શિક્ષણ ગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.
