પેટલાદના મદદનીશ કલેકટરશ્રીએ ગ્રામ્ય વિસ્તારમાં મુલાકાત લઈ ને ગ્રામ સંવાદ કર્યો
પ્રકાશિત તારીખ : 08/04/2025
ગ્રામજનોના પ્રશ્નોનું સ્થળ પર જ નિકાલ કરવાના સ્તુત્ય પ્રયાસ કરાયા.
આણંદ,શનિવાર: પેટલાદ મદદનીશ કલેકટર હિરેન બારોટ દ્વારા આજરોજ તાલુકાના અરડી અને રવીપુરા ગામે ગ્રામજનો સાથે લોક સંવાદ કરી લોકોના પ્રશ્નો/રજૂઆત સાંભળી, પ્રશ્નો બાબતે સંબધિત વિભાગને કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે.
અરડી ગામે આવેલ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનની આકસ્મિક ચકાસણી કરી,દુકાનદારને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આ પ્રસંગે બન્ને ગામના તલાટીશ્રીના સામાન્ય દફતરની ચકાસણી કરી જરૂરી સુચન કર્યું હતું. આ વેળાએ અરડી ગામની ગૌચર સર્વે નંબર . ૩૦૭ તથા રવીપુરા ગૌચર સર્વે નંબર.૬૨ વાળી જમીનોની રૂબરૂમાં સ્થળ સ્થિતિ અંગેની ખાતરી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગામના તલાટીશ્રી,વ્યાજબી ભાવની દુકાનના કર્મીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
