બંધ

તા.૧૭ ઓક્ટોબર ના રોજ આણંદ જિલ્લાના મનરેગાના લોકપાલ બોરસદ ખાતે મનરેગા અંગેની ફરિયાદ સાંભળશે

પ્રકાશિત તારીખ : 13/10/2025

ગ્રામજનોને મનરેગા અંગેની કોઈપણ રજૂઆત કે ફરિયાદ હોય તો કોઈપણ વ્યક્તિ બપોરના ૧-૩૦ થી ૨-૩૦ દરમિયાન રૂબરૂ મળી શકાશે

આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળની કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે છે.

આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયત કક્ષાએ મનરેગા યોજના હેઠળ કરવામાં આવતા કામોનું જે તે તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા દેખરેખ રાખવામાં આવે છે અને મનરેગા ના શ્રમિકોના વેતનનું ચુકવણું આધાર બેઇઝ એમઓઆરડી ડિપાર્ટમેન્ટ, દિલ્હી દ્વારા કરવામાં આવે છે, જ્યારે મનરેગા હસ્તકના માલ સામાન ખરીદીનું ચુકવણું રાજ્ય કક્ષાએથી ગાંધીનગર ખાતેથી કરવામાં આવે છે.

આણંદ જિલ્લામાં મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ કરવામાં આવતી કામગીરી માં શ્રમિકોને વેતન મળતું ન હોય, વેતન ઓછું મળતું હોય અથવા શ્રમિકોને કોઈ પ્રશ્ન હોય તો  રાજ્ય સરકાર દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, આણંદ ખાતે લોકપાલ તરીકે શ્રી સુનિલકુમાર વિજયવર્ગીયની નિમણૂક કરવામાં આવી છે.

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના (મનરેગા) ના લોકપાલ તરીકે આણંદ જિલ્લામાં મનરેગા હેઠળ કામ કરતા શ્રમિકોને કોઈપણ પ્રકારની સમસ્યા હોય, અનિયમિત વેતન મળતું હોય, ગેરરીતિ કે ભ્રષ્ટાચાર બાબતની કોઈપણ ફરિયાદ હોય તો કોઈપણ વ્યક્તિ  જિલ્લા પંચાયત આણંદ ખાતે રૂબરૂ મળી શકશે અથવા પત્ર દ્વારા ફરિયાદ કરી શકે છે.

આણંદ જિલ્લાના મનરેગા ના લોકપાલ શ્રી સુનિલકુમાર વિજય વર્ગીય તારીખ ૧૭ મી ઓક્ટોબર શુક્રવારના રોજ તાલુકા પંચાયત કચેરી, બોરસદ ખાતે બપોરે ૧-૩૦ થી ૨-૩૦ કલાક દરમિયાન મનરેગા સંબંધી કોઈપણ પ્રકારની રજૂઆત કે ફરિયાદ હોય તો કોઈપણ વ્યક્તિ રૂબરૂ  મળી શકશે તેમ જણાવ્યું છે.