• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

આણંદ જિલ્લામાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનની ઉજવણી

પ્રકાશિત તારીખ : 19/09/2025

તા.૧૯ સપ્ટેમ્બર ના રોજ આણંદ તાલુકાના ઓડ અને ખંભાત તાલુકાના ઉંદેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાશે આરોગ્ય શિબિર અને નિદાન કેમ્પ

આણંદ, ગુરુવાર: આણંદ જિલ્લામાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના માર્ગદર્શન હેઠળ તા.૧૭ સપ્ટેમ્બરથી તારીખ ૦૨ ઓક્ટોબર સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે.

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મહિલાઓ અને બાળકોનું સ્વાસ્થ્ય સમગ્ર રાષ્ટ્રની પ્રગતિ માટે અત્યંત જરૂરી હોય આણંદ જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આયુષ્માન આરોગ્ય મંદિર તથા શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આરોગ્ય શિબિર અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મહિલાઓને નિષ્ણાત સેવાઓ સહિત વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે.

આ કાર્યક્રમ અંતર્ગત તા.૧૯ સપ્ટેમ્બર ના રોજ આણંદ તાલુકાના ઓડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને ખંભાત તાલુકાના ઉંદેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેમ્પ યોજાશે. આ કેમ્પમાં કુશળ તજજ્ઞ ફિઝિશિયન, સ્ત્રી રોગ નિષ્ણાત, બાળ રોગ નિષ્ણાત, જનરલ સર્જન, ડેન્ટલ સર્જન, આંખના સર્જન હાજર રહી સેવાઓ આપશે. જેમાં સગર્ભા માતા, ધાત્રી માતા, કિશોર, કિશોરીઓ તથા ૩૦ વર્ષથી ઉપરના તમામના બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કેન્સર, ટીબી, સિક્સ સેલ, એનિમિયા તથા કુપોષિત બાળકોની તપાસ કરવામાં આવશે, આ નિદાન કેમ્પ અને શિબિર નો લાભ લેવા મહિલાઓ અને બાળકોને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.