આણંદ જિલ્લામાં તા. ૮ માર્ચ સુધી હથિયારબંધી તથા સુરૂચિનો ભંગ થાય તેવા કૃત્યો કરવા ઉપર મનાઇ
પ્રકાશિત તારીખ : 01/03/2025
આણંદ, શનિવાર: આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂઇએ સમગ્ર જિલ્લામાં હથિયારબંધી તથા સુરૂચિનો ભંગ થાય તેવા કૃત્યો કરવાની મનાઈ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
આ જાહેરનામાં અનુસાર જિલ્લાના કોઈપણ વિસ્તારમાં હથિયાર, તલવાર, ભાલા, ધોકા, લાકડી કે લાઠી અને સળગતી મશાલ અથવા બીજા હથિયારો કે જેનાથી શારીરિક ઈજા કરી શકાય તે સાથે રાખી ફરવા પર પ્રતિબંધ કરાયો છે. આ ઉપરાંત સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય કે બિન અધિકૃત રીતે ચાર કરતાં વધુ માણસોએ એકત્ર થવા પર અને ચાર કરતા વધુ માણસોની કોઇ સભા ભરવા કે બોલાવવા તથા સરઘસ કાઢવા પર પ્રતિબંધ કરાયો છે.
આ જાહેરનામું તા.૦૮/૦૩/૨૦૨૫ સુધી જિલ્લાના સમગ્ર વિસ્તારોને લાગું રહેશે. જેમાં રસ્તાઓ, રસ્તાની ફુટપાથ, ગલીઓ અને પેટા ગલીઓનો તથા જાહેર મકાનોનો સમાવેશ થાય છે. આ જાહેરનામું સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય કે ફરજ પર હોય તથા અશક્ત લોકોને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર કાયદાની જોગવાઈ હેઠળ શિક્ષાને પાત્ર થશે.