બંધ

અવકુડા

અવકુડા (આણંદ-વલ્લભ વિદ્યાનગર-કરમસદ શહેરી વિકાસ સત્તામંડળ) શાખા

આણંદ-વલ્લભ વિદ્યાનગર-કરમસદ શહેરી વિકાસ સત્તામંડળની રચના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આણંદ, વલ્લભ વિદ્યાનગર, કરમસદ નગરપાલિકાની આસપાસના વિકસતા વિસ્તારમાં નિયંત્રિત અને આયોજનબધ્ધ વિકાસને પ્રેરવાનો છે. હાલમાં અવકુડામાં કુલ ચોત્રીસ ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે. તેમજ ત્રણ નગરપાલિકાઓ આણંદ, વલ્લભ વિદ્યાનગર અને કરમસદનો સમાવેશ થાય છે. જે પૈકી આણંદ તાલુકાના ૩૨ ગામો તથા પેટલાદ તાલુકાના ૨(બે) ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે. સમાવેશ થયેલ ગામોની વિગત નીચે મુજબ છે.

જિલ્લો/તાલુકા સમાવેશ ગામોનું નામ
આણંદ આણંદ (નગરપાલિકા અને રેવન્યુ વિસ્તાર), વલ્લભ વિદ્યાનગર (નગરપાલિકા અને રેવન્યુ વિસ્તાર), કરમસદ (નગરપાલિકા અને રેવન્યુ વિસ્તાર), કરમસદ (નગરપાલિકા અને રેવન્યુ વિસ્તાર), વિઠ્ઠલ ઉદ્યોગનગર, બોરીઆવી, સામરખા, ચિખોદરા, ગામડી, લાંભવેલ, જોળ, બાકરોલ, વઘાસી, હાડગુડ, જીટોડીયા, મોગર, વલાસણ, સંદેશર, ગાના, નાવલી, ગોપાલપુરા, મેઘવા-ગાના, ખાંધલી, વાંસખીલીયા, વાસદ, રાજુપુરા, આંકલાવડી, અડાસ, નાપાડ તળપદ, નાપાડ વાંટા, વડોદ, ઝાંખરીયા, મોગર
પેટલાદ બોરીયા, મોરડ

 

મુખ્ય કામગીરી

  • નગરપાલિકાના આસપાસના વિકાસશીલ વિસ્તારોમાં સુવ્યવસ્થિત અને સગ્રથિત વિકાસ કરવો.
  • વિકાસ યોજનાને અનુરૂપ વિકાસ થાય તે અંગે નિયંત્રિત વિકાસ પગલા લેવા.
  • અવકુડામાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાં નગરરચના યોજનાઓ બનાવવી.
  • બાંધકામ અંગેની પરવાનગી આપવી.
  • ઝોનીંગ સર્ટીફિકેટ આપવી.
  • બી.યુ. પરમીશન આપવી.