કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ખરાબ થયેલ રોડ રસ્તાઓનું કામ હાથ ધરાયું
પ્રકાશિત તારીખ : 25/09/2025
આણંદ, બુધવાર: આણંદ જિલ્લામાં ગત દિવસો દરમિયાન થયેલ ભારે વરસાદને કારણે મહાનગરપાલિકા વિસ્તારમાં રોડ રસ્તાઓ ખરાબ થયા હતા. હાલમાં વરસાદે વિરામ લેતા કરમસદ આણંદ મહાનગરપાલિકા ના રોડ વિભાગ દ્વારા યુદ્ધ ના ધોરણે વરસાદ ને કારણે નુકશાન પામેલ રસ્તાઓ ને હોટમિક્સ મટિરિયલ દ્વારા રોડ રીપેરીંગ ની કામગીરી શરૂ કરવામાં આવી છે.
જે અંતર્ગત શહેર ના મુખ્ય માર્ગ એવા વ્યાયામ શાળા રોડ પર પેવરપટ્ટા મારવામાં આવ્યા તથા શહેર ના મુખ્ય માર્ગ એવા જૂના બસ મથક પાસે તથા પાયોનિયર ચોકડી થી લક્ષ્મી ચોકડી સુધીના રસ્તા ને રીસરફેસિંગ કરી રોડ રીપેરીંગ કરવામાં આવ્યો તથા ટાઉન હોલ થી ઓમકારશ્વર મંદિર ચોકડી સુધીના માર્ગને રીસરફેસિંગ કરવાની કામગીરી કરવામાં આવી છે.
મનપાના રોડ વિભાગ ના ઈજનેર શ્રી ના જણાવ્યા અનુસાર ભારે વરસાદને કારણે શહેરના નુકશાન પામેલ રોડ ને આગામી દિવસોમાં મહાનરપાલિકા દ્વારા શહેરના તમામ નુકશાન પામેલ રોડ ને પેવરપટ્ટા તથા રિસર્ફિંગ કરવાની કામગીરી ચાલુ રાખી તમામ રોડ રસ્તા ને રીપેર કરવામાં આવશે, તેમ મનપાના ઇજનેર દ્વારા વધુમાં જણાવ્યું છે.

કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ખરાબ થયેલ રોડ રસ્તાઓનું કામ હાથ ધરાયું

કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ખરાબ થયેલ રોડ રસ્તાઓનું કામ હાથ ધરાયું

કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ખરાબ થયેલ રોડ રસ્તાઓનું કામ હાથ ધરાયું

કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ખરાબ થયેલ રોડ રસ્તાઓનું કામ હાથ ધરાયું

કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ખરાબ થયેલ રોડ રસ્તાઓનું કામ હાથ ધરાયું

કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ખરાબ થયેલ રોડ રસ્તાઓનું કામ હાથ ધરાયું
