હર ઘર તિરંગા” અભિયાન:: આણંદ જિલ્લો
પ્રકાશિત તારીખ : 12/08/2025
પેટલાદ તાલુકા મથકે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
પેટલાદ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા રણછોડજી મંદિરના મહંત શ્રી વાસુદેવજી મહારાજની આગેવાની હેઠળ યોજાઇ
આણંદ, સોમવાર: “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા : સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ” અભિયાન અંતર્ગત આણંદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.
“હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત આજે પેટલાદ તાલુકા કક્ષાની તિરંગા યાત્રા રણછોડજી મંદિરના મહંત શ્રી વાસુદેવજી મહારાજ તેમજ પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલની આગેવાની હેઠળ યોજાઇ હતી. આ તિરંગા યાત્રા પેટલાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને દેશભક્તિના જુસ્સા સાથે તિરંગા યાત્રા ફરીને પરત નગરપાલિકા ગ્રાઉન્ડ આવી હતી ત્યા તિરંગા યાત્રા પૂર્ણ થઈ હતી.
આ હર ઘર તિરંગા યાત્રામાં વિવિધ સમાજ ના ધર્મગુરુ, પેટલાદ કિન્નર સમાજ અખાડા ના ધર્મગુરુ, આણંદ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, પેટલાદના આગેવાનો, પ્રાંત અધિકારીશ્રી હિરેન બારોટ, મામલતદારશ્રી,પેટલાદ શહેર ની વિવિધ સ્કૂલો ના વિધાર્થીઓ અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

હર ઘર તિરંગા” અભિયાન:: આણંદ જિલ્લો

હર ઘર તિરંગા” અભિયાન:: આણંદ જિલ્લો

હર ઘર તિરંગા” અભિયાન:: આણંદ જિલ્લો

હર ઘર તિરંગા” અભિયાન:: આણંદ જિલ્લો

હર ઘર તિરંગા” અભિયાન:: આણંદ જિલ્લો

હર ઘર તિરંગા” અભિયાન:: આણંદ જિલ્લો

હર ઘર તિરંગા” અભિયાન:: આણંદ જિલ્લો
