કરમસદ – આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં રોડ પર પડેલા ખાડા તથા તૂટેલ રોડ ને રીસરફેસિંગ ની કામગીરી કરવામાં આવી
પ્રકાશિત તારીખ : 19/07/2025
આણંદ, શુક્રવાર: કરમસદ- આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના અને માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા વિસ્તારમાં ગત દિવસોમાં પડેલ ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓ, રસ્તાઓ ઉપર પડેલ ખાડાઓ પૂરીને રોડ રીસરફેસિંગની પેચ વર્કની કામગીરી કરી રસ્તાઓ મોટરેબલ બનાવવા માટે જણાવવામાં આવ્યું છે.
જે અંતર્ગત આણંદ મહાનગરપાલિકા ના રોડ વિભાગ દ્વારા રોડ રસ્તા રીપેરીંગ ની કામગીરી અંતર્ગત પેચ વર્ક ની કામગીરી કરવામાં આવી રહી છે, આજરોજ આણંદ શહેર ના મુખ્ય માર્ગ એવા એન.એસ.પટેલ સર્કલ થી લક્ષ્મી સિનેમા ચોકડી સુધીના રોડ પર પડેલા ખાડા તથા તૂટેલ રોડ ને રીસરફેસિંગ ની કામગીરી કરવામાં આવી હતી.
આ ઉપરાંત મહાનગર પાલિકા વિસ્તારમાં તમામ ખરાબ થયેલ રસ્તાઓને પેચ વર્ક કરીને મોટરેબલ બનાવવા માટે મહાનગરપાલિકાની ટીમ રાત દિવસ કામ કરી રહી છે, તમામ રસ્તાઓનું દુરસ્તી કામ ઝડપભેર પૂર્ણ કરવામાં આવી રહ્યું છે.

કરમસદ – આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં રોડ પર પડેલા ખાડા તથા તૂટેલ રોડ ને રીસરફેસિંગ ની કામગીરી કરવામાં આવી

કરમસદ – આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં રોડ પર પડેલા ખાડા તથા તૂટેલ રોડ ને રીસરફેસિંગ ની કામગીરી કરવામાં આવી

કરમસદ – આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં રોડ પર પડેલા ખાડા તથા તૂટેલ રોડ ને રીસરફેસિંગ ની કામગીરી કરવામાં આવી
