ઉમરેઠ નગરપાલિકા દ્વારા ઓડ ચોકડીથી દામોદર વડ સુધીના કાંસમાં સ્લેબની કામગીરી હાથ ધરાશે
પ્રકાશિત તારીખ : 28/03/2025
આણંદ, ગુરૂવાર: આણંદ સિંચાઈ વિભાગ હસ્તકના કાંસ પેટા વિભાગ હેઠળ ઉમરેઠ, આણંદ,પેટલાદ,બોરસદ તથા આંકલાવ તાલુકાઓમાંથી પસાર થતા ૫૫૦ કિ.મી નોટીફાઈડ કાંસના નેટવર્કની જાળવણી અને મરામતની કામગીરી કરવામાં આવે છે.
જે અન્વયે ઉમરેઠ ખાતે ઓડ ચોકડીથી પરવટા સુધીનો ભટ્ટ ટેંક ટુ થામણા એસ્કેપ કાંસ આણંદ સિંચાઈ વિભાગ દ્વારા નોટીફાઈડ કાંસ છે.ઓડ ચોકડીથી દામોદર વડ સુધીનો કાંસ પાઇપલાઈન નાંખવાની એન.ઓ.સી સરકારશ્રી દ્વારા ઉમરેઠ નગરપાલીકાને આપેલ છે.જેથી ત્યાં સ્લેબ/પાઈપલાઈન નાખવાનું કામ ઉમરેઠ નગરપાલીકા દ્વારા કરાશે તેમ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનરેશ્રી જણાવવામાં આવ્યું છે.